પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 16, 2025 9:31 એ એમ (AM)

views 23

વડોદરાની પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર

પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં વિવિધ વિષયના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ રાષ્ટ્રના સર્વાંગી વિકા...

ડિસેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

views 38

રાજ્યભરમાં SIR હેઠળ ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વ...

ડિસેમ્બર 15, 2025 7:56 પી એમ(PM)

views 16

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના 75મા નિર્વાણદિને રાજયમાં અનેકવિધ સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

રાષ્ટ્રીય એકતાના શિલ્પી અને આધુનિક ભારતના નિર્માતા સરદાર પટેલના 75મા નિર્વાણદિન નિમિતે રાજયમાં અનેકવિધ સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજયપાલ, આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના અગ્રણીઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મંદિરે સરદાર પટેલની...

ડિસેમ્બર 15, 2025 7:51 પી એમ(PM)

views 17

સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૮મા પદવીદાન સમારોહમાં રાજયપાલે નવા પદવીધારકોને જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવા પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૮મા પદવીદાન સમારોહ આજે રાજયપાલે આ મુજબ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને @૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છ...

ડિસેમ્બર 15, 2025 7:49 પી એમ(PM)

views 17

અમૂલ ડેરીના ચેરમેન પદે શોભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે વિજય પટેલની બિન હરીફ વરણી.

આણંદની અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં શોભેસિંહ પરમારની ચેરમેનપદે અને વાઇસ ચેરમેનપદે વિજય ફૂલાભાઇ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અમારા આણંદના પ્રતિનિધિ જણાવે છે કે અમૂલ ડેરીના કુલ નિયામક મંડળમાં 13 બ્લોક પૈકી 11 બ્લોકમાં ભાજપે કબ્જો જમાવ્યો છે. ભાજપ સંસદિય બો...

ડિસેમ્બર 15, 2025 7:48 પી એમ(PM)

views 26

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ પરથી આવતીકાલથી 30મી ડિસેમ્બર સુધી ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જનિયરીંગ, ડીગ્રી ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાન પ્રવાહના ગૃપ-એ, બી અને ગૃપ-એબીના માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujset.gseb.o...

ડિસેમ્બર 15, 2025 7:46 પી એમ(PM)

views 15

અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા આવતીકાલથી 22 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ સ્પર્ધા વર્ષ ૨૦૨૫-૨૬ આવતીકાલથી 22 ડિસેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. આ સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ સચિવાલય જીમખાના,સેકટર-૨૧, ગાંધીનગર ખાતે સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસની ઉપસ્થિતિમાં યોજાશે.

ડિસેમ્બર 15, 2025 3:05 પી એમ(PM)

views 15

દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવ આજે ખંભાળિયા પહોંચ્યા.

દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈ.જી.અશોક કુમાર યાદવ આજે ખંભાળિયા પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે દ્વારકા રેન્જનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું.ખંભાળિયા પોલીસ મેદાન ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં અંદાજે 144 જેટલા પોલીસ જવાનો તેમજ 40 જેટલા અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો .પર...

ડિસેમ્બર 15, 2025 3:04 પી એમ(PM)

views 15

રાજયપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જીલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રીવિશ્રામ કર્યો

રાજયપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જીલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રીવિશ્રામ કર્યો હતો. સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ દરમ્યાન રાજયપાલે ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી માણવાનો પ્રયત્ન કર્યો હતો. રાજયપાલે સવારે વહેલા ઉઠીને શાળાના ઓરડામાં યોગ, પ્રાણાયામ સાથે તેમના દિવસની શરૂઆત કરી...

ડિસેમ્બર 15, 2025 3:03 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાનો વિના વિલંબે લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી નોંધણી ફરજીયાત કરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 22મા હપ્તાનો વિના વિલંબે લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે ખેડૂત આઇડી ફાર્મર રજીસ્ટ્રી નોંધણી ફરજીયાત કરી છે. ગુજરાત રાજયના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે નોંધી કરાવી લેવી. હાલમાં ગ્રામીણ કક્ષાએ ખેડૂતો મા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.