પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 24, 2025 7:43 પી એમ(PM)

views 94

રાજ્યમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા અત્યાર સુધીમાં 92 હજાર 235 જેટલા નાગરિક તરફથી ફોર્મ છ / છ-એ મળ્યા

રાજ્યમાં આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા ગઈકાલ સુધીમાં કુલ 92 હજાર 235 જેટલા નાગરિક તરફથી ફોર્મ છ / છ-એ મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા કુલ 13 હજાર 331 જેટલા નાગરિક તરફથી ફૉર્મ-સાત મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે-સાથે કામગીરી કરાશ...

ડિસેમ્બર 24, 2025 7:42 પી એમ(PM)

views 16

ગાંધીનગરથી મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રકાર એક મધુપ્રમેહ-ગ્રસ્ત એક પણ બાળક સારવાર અને સુવિધાથી વંચિત ન રહી જાય તે માટેની વિશેષ વ્યવસ્થાની નેમ વ્યક્ત કરી. ગાંધીનગરથી મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા તેમણે કહ્યું, આ બીમારીથી પીડાતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવારથી રોગને નિયંત્રિત ...

ડિસેમ્બર 24, 2025 7:42 પી એમ(PM)

views 25

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં અપાય

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, અરવલ્લી પહાડીઓના સંરક્ષણ માટે સર્વોચ્ચ અદાલતના આદેશનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું, રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ખનન કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નહીં અપાય. અરવલ્લી પર્વતમાળા રણને આગળ વધતું અટકાવવા કુદરતી અ...

ડિસેમ્બર 24, 2025 3:19 પી એમ(PM)

views 17

કચ્છમાં આજે સવારે 10 વાગ્યેને 49 મિનિટે ભૂકંપના આંચકાઓ અનુભવાયા.

કચ્છમાં આજે સવારે 10 વાગ્યેને 49 મિનિટે ભૂકંપના આંચકાઓ અનુભવાયા. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 10 કિલોમીટર દૂર કરમરિયા ગામ નજીક નોંધાયું હતું. જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણની માપવામાં આવી હોવાનું ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

ડિસેમ્બર 24, 2025 3:17 પી એમ(PM)

views 14

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઑવર બ્રિજ નીચે વીર બાળ દિવસની યાદમાં આગામી 28 તારીખ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે.

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફ્લાયઑવર બ્રિજ નીચે વીર બાળ દિવસની યાદમાં આગામી 28 તારીખ સુધી વિશેષ કાર્યક્રમ યોજાશે. સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબઝાદાના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સિખ સમુદાયના લોકો સિવાય ભાજપના અન્ય હોદ્દેદારો અ...

ડિસેમ્બર 24, 2025 3:11 પી એમ(PM)

views 28

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ડિસેમ્બર 24, 2025 3:07 પી એમ(PM)

views 36

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે આજે એક વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે અઢી ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે આજે એક વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે અઢી ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. આ જપ્ત થયેલા પ્લાસ્ટિકની અંદાજિત બજાર કિંમત 10 લાખ રૂપિયાથી વધુ થાય છે. ઉલ્લેખનીય છે,સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, જેના અનુસંધાનમાં ઉલ્લંઘન...

ડિસેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)

views 16

રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા.

રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા તાલીમની સાથે તેઓને બે હજાર 500 રૂપિયા ભથ્થું પણ ચૂકવાયું છે. આ યોજના હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોની...

ડિસેમ્બર 24, 2025 2:56 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોમાં થતા પ્રકાર એક મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોમાં થતા પ્રકાર એક મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, સરકાર રાજ્યમાં આ બીમારીથી પીડાતા અને ઇન્સ્યુલિન એટલે કે, મધુપ્રમેહની દવા જે બાળકોને જરૂરી છે. તેમને શોધી તેમના સુધી દવા પહોંચાડી રહી છે. રાજ્યમાં હ...

ડિસેમ્બર 24, 2025 2:50 પી એમ(PM)

views 17

જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવા ખેડૂતો માટે ઑનલાઈન ડ્રૉ કર્યો.

જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેત-તલાવડીમાં જીઓમેમ્બ્રેન લગાવવા ખેડૂતો માટે ઑનલાઈન ડ્રૉ કર્યો. તેનાથી 13 જિલ્લાના 40 તાલુકાના 185 જેટલા ખેડૂતને લાભ મળશે. આ અંગે શ્રી પટેલે કહ્યું, વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને તેનો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે ખેડૂતો કરી શકે તે હેતુથી સરકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.