સપ્ટેમ્બર 27, 2024 8:07 પી એમ(PM)

views 34

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી કમિશનના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી

મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીના સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશ્નલ રાજીવ કુમારના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળે આજે મુંબઇમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની સાથે અન્ય ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને એસ.એસ.સંધુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીપંચે વિધ...

સપ્ટેમ્બર 27, 2024 8:06 પી એમ(PM)

views 52

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં છે. અને 25 શ્રમિકો લાપતા થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટીતંત્રે આધુનિક સાધનો સાથે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.

સપ્ટેમ્બર 27, 2024 8:05 પી એમ(PM)

views 55

પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પર્યાવરણના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી એક પેડ માં કે નામ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 80 કરોડથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશે આશરે 26 કરોડથી વધુ વૃક્ષારોપણ કરીને આ ઝુંબેશમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રિય વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે ...

સપ્ટેમ્બર 27, 2024 8:03 પી એમ(PM)

views 30

દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે

દેશભરના દિવ્યાંગ કલાકસબીઓની કૃતિઓ દર્શાવતા “દિવ્ય કલા મેળા”નો મહારાષ્ટ્રના પુણેમાં આવતીકાલથી આરંભ થશે. કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારમંત્રી ડો.વિરેન્દ્ર કુમાર આ કલામેળાનું ઉદઘાટન કરશે. 20 રાજયોના 100થી વધુ દિવ્યાંગ કલાકસબીઓ આ મેળામાં હસ્તકલાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત મેળામાં ઓર્ગેનિક ...

સપ્ટેમ્બર 27, 2024 8:02 પી એમ(PM)

views 39

આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું

આત્મનિર્ભર યોજના હેઠળ ભારત હવે ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે. ઇશાન વિસ્તારના કેન્દ્રિય સંદેશા વ્યવહાર મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ચેન્નાઇ નજીક સિસ્કોના અદ્યતન ઉત્પાદન સુવિધાનું લોકાર્પણ કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ચેન્નાઇ ખાતેની આ સુવિધાથી દૂરસંદેશાવ્યવહાર પદ્ધતિના ક્ષ...

સપ્ટેમ્બર 27, 2024 8:01 પી એમ(PM)

views 41

કેરળમાં એમ-પોક્સનો વધુ એક કેસ નોંધાયો

કેરળમાં એમ-પોક્સનો વધુ એક કેસ નોંધાયો છે. વિદેશથી કેરળના કોચી પાછા ફરેલા 38 વર્ષિય પુરૂષને એમ-પોકસ હોવાની પુષ્ટિ થઇ છે. આ વ્યક્તિને ખાનગી હોસ્પીટલમાં સારવાર અપાઇ રહી છે. દરમિયાન, રાજયના આરોગ્યમંત્રી વિણા જયોર્જે તિરૂઅનંતપુરમમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કેરળમાં એમ-પોક્સની પરિસ્થિતિની સમિક્ષા કરી છે. બ...

સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM)

views 30

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ-યીન – હુઇ અને વુ યુની જોડીને 2-0થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં ત્ર...

સપ્ટેમ્બર 27, 2024 7:59 પી એમ(PM)

views 27

ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો

ઝડપથી આગળ વધતાં ચક્રવાત હેલેને અમેરિકાના વાયવ્ય ફલોરીડાના દરિયાકાંઠેથી જમીન ઉપર પ્રવેશ કર્યો છે. જો કે, જમીન ઉપર પ્રવેશ્યા બાદ આ ચક્રવાત થોડું નબળું પડ્યું છે. જમીન ઉપર પ્રવેશ વખતે પવનની ગતિ 225 કિલોમીટર પ્રતિકલાક જેટલી હતી. ચક્રવાત અને વરસાદના કારણે ઘણાં વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. અ...

સપ્ટેમ્બર 27, 2024 7:57 પી એમ(PM)

views 29

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા

કાનપુરમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા છે. ભારે વરસાદને કારણે આજે બપોર બાદ મેચ અટકાવી દેવાઇ હતી. ત્યારે મોમિનુલ હક 40 રને અને મુશફિકુર રહીમ 6 રને રમતમાં હતા, ભારત તરફથી આકાશ દીપે બે જ્યારે રવિચંદ્રન અશ્વિને 1-1 વિ...

સપ્ટેમ્બર 27, 2024 7:56 પી એમ(PM)

views 24

ભારત અને ઉઝબેકિસ્તાને આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ઉઝબેકિસ્તાને આજે તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી ખોદજાયેવ જમશીદ અબ્દુખાકીમોવિચે હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની આ સંધિ ભારતમાં ઉઝબેકિસ્તાનના રોકાણકારો અને ઉઝબેકિસ્તાનમાં ભારતી...