ડિસેમ્બર 9, 2025 7:35 એ એમ (AM)

views 350

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ

ક્રિકેટમાં, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીનો આજથી પ્રારંભ થશે. પહેલી મેચ ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે.દરમિયાન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ બંને ઈજા પછી શ્રેણીમાં પાછા ફરવા માટે તૈયાર છે.શ્રેણીની બીજી મેચ ગુરુવારે ચં...

ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે.

રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે. આ ગીત 1875માં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. આજે લોકસભામાં ચર્ચા શરૂ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક...

ડિસેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

views 22

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે.

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે. આ બિલમાં પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલી અન્ય વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાનો પ્રસ્તાવ છે. તેમાંથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામ...

ડિસેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 20

નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, એક થી 7 ડિસેમ્બર દરમિયાન, 5 લાખ 86 હજાર 700 થી વધુ મુસાફરોના PNR રદ કરવામાં આવ્યા હતા અને તેમને રિફંડ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે 569 કરોડ રૂપિયાથી વધુના રિફંડ મળ્યા હતા. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે કુલ 9 હજાર બેગમાંથી 4 હજાર 500 ગ્રાહકોને પહોંચાડવામા...

ડિસેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

views 17

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં આજે બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં નક્સલવાદના સેન્ટ્રલ કમિટીનો એક સભ્ય અને એક ગેંગ લીડરનો સમાવેશ થાય છે. આ આત્મસમર્પણ બકરકટ્ટા પોલીસ સ્ટેશન હેઠળના કુમ્હી ગામમાં પોલીસ અધિકારીઓ સમક્ષ થયું હતું, આ નક્સલીઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત...

ડિસેમ્બર 8, 2025 7:51 પી એમ(PM)

views 36

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાત્રે પુરુષ હોકીની બીજી મેચ કેપટાઉનના હાર્ટલીવેલ સ્ટેડિયમ ખાતે રમાશે.

પુરુષ હોકીની બીજી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાત્રે ૧૦:૩૦ વાગ્યે કેપટાઉનના હાર્ટલીવેલ સ્ટેડિયમ ખાતે રમાશે. ગઈકાલે પહેલી મેચમાં ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને ૫-૨થી હરાવ્યું હતું.

ડિસેમ્બર 8, 2025 7:33 પી એમ(PM)

views 28

સાયબર ગુનેગારો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગેગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચકાસણીકરી ગુનેગારો સામે...

ડિસેમ્બર 8, 2025 7:32 પી એમ(PM)

views 27

26 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી ટોળકીને રાજકોટમાંથી ઝડપી લેવાઈ.

26 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સડોવાયેલી ટોળકીને રાજકોટમાંથી ઝડપી લેવામાં આવી છે. શેરબજારમાં રોકાણ કરવી નફો મેળવાની લાલચ આપી ફરિયાદી પાસેથી 26 કરોડ 66 લાખ જેટલી રકમ આરોપીઓએ પડાવી લીધી હતી. જે અંગે સાયબર ગુના શાખાએ સાત આરોપીની ધરપકડ કરી હોવાનું સાયબર ગુના શાખાના પોલીસ અધિક્ષક રાજદીપ...

ડિસેમ્બર 8, 2025 7:29 પી એમ(PM)

views 19

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1700 કરોડ રૂપિયાથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખાદી ઉત્પાદનોનું વેચાણ થયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન ખાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ખાદીનું વેચાણ કરીને આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં વર્ષ 2024-25માં અંદાજે 683 કરોડથી વધુ...

ડિસેમ્બર 8, 2025 5:36 પી એમ(PM)

views 25

રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે

રાજ્યના ગૃહ રક્ષક હવે 58 વર્ષની વય સુધી ફરજ બજાવી શકશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યના ગૃહ રક્ષક જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો છે. આ અંગે રાજ્ય સરકારે મુંબઇ ગૃહરક્ષક નિયમો, 1953ના નિયમ-9માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે ગૃહરક્ષક સભ્યોની નિવૃત્તિ વયમર્ય...