સપ્ટેમ્બર 26, 2024 3:11 પી એમ(PM)

views 26

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો

આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એ જ સેવા 2024 અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. ઉલ્લેખનીય છે ...

સપ્ટેમ્બર 26, 2024 2:51 પી એમ(PM)

views 44

મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે

મકાઉ ઓપન બેડમિન્ટનમાં આજે બપોરે પુરુષ સિંગલ્સના 16મા રાઉન્ડમાં ભારતના કિદામ્બી શ્રીકાંતનો મુકાબલો ભારતના જ ખેલાડી આયુષ શેટ્ટી સામે થશે. મહિલા સિંગલ્સના 16મા રાઉન્ડમાં, ભારતીય શટલર તસનીમ મીરનો મુકાબલો આજે જાપાનની ચોથી ક્રમાંકિત ટોમોકા મિયાઝાકી સામે થશે. મહિલા ડબલ્સમાં, ભારતની ગાયત્રી ગોપીચંદ અને ટ્રી...

સપ્ટેમ્બર 26, 2024 2:48 પી એમ(PM)

views 61

ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારતે ગઈકાલે યુએન જનરલ એસેમ્બલીમાં ભારતની દરિયાઈ સરહદની બહાર જૈવવિવિધતાને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ઔપચારિક રીતે રાષ્ટ્રીય અધિકારક્ષેત્રના સમાવેશ પર જૈવવિવિધતા કરાર તરીકે ઓળખાય છે. આ કરાર પર વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા છે. તેનો ઉદ્દેશ્ય દરિયાઈ જ...

સપ્ટેમ્બર 26, 2024 2:44 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 29મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ 114મું સંસ્કરણ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, A.I.R. ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એર મોબાઇલ એપ્લિકેશન પર...

સપ્ટેમ્બર 26, 2024 2:36 પી એમ(PM)

views 44

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વ...

સપ્ટેમ્બર 26, 2024 2:34 પી એમ(PM)

views 13

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી

બૈરૂત ખાતેના ભારતીય રાજદૂતાવાસે ભારતીયોને હવે પછી સૂચના અપાય નહીં ત્યાં સુધી લેબેનોનનો પ્રવાસ નહિં કરવાની સૂચના આપી છે. એવી જ રીતેત્યાં ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધ્યો હોવાથી લેબનોનમાં વસતા ભારતીયોને લેબેનોનમાંથી ખસી જવાનો નિર્દેશ આપ્યો છે. લેબનોનમાં વસતા ભારતીયોને સતર્ક રહેવાની, જરૂર પૂરત...

સપ્ટેમ્બર 26, 2024 2:32 પી એમ(PM)

views 21

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે સમરકંદમાં ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિરિઝીયોયેવ સાથે મુલાકાત કરી હતી. નાણામંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં જોડાણ કરવા અંગે ઉઝબેકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી અને વેપાર તથા ઉદ્યોગ મંત્રી સાથે ફળદાયી મંત્રણા થઈ હતી. આ ક્ષેત્રોમા...

સપ્ટેમ્બર 26, 2024 2:30 પી એમ(PM)

views 40

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે

ભારતે આંતરરાષ્ટ્રીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના માળખામાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે ન્યુયોર્કમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓ સાથેની મંત્રણામાં કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સલામતિ પરિષદ આંતરરાષ્ટ્રીય શાંત...

સપ્ટેમ્બર 26, 2024 2:28 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે લદ્દાખમાં સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે. તેઓ અહીં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. અમારા આકાશવાણી લેહ સંવાદદાતાના અહેવાલ મુજબ રાષ્ટ્રપતિની સિયાચીનની આ પ્રથમ અને લદ્દાખની બીજી મુલાકાત છે. ઓક્ટોબર 2023માં તેમની મુલાકાત ખરાબ હવામાનને કારણે રદ થઈ હતી. રાષ્ટ્રપતિનું સ્વાગત ...

સપ્ટેમ્બર 26, 2024 2:26 પી એમ(PM)

views 39

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે. શ્રી નડ્ડા ભુવનેશ્વરમાં પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે અને સભ્યપદ અભિયાનમાં ભાગ લેશે. આ પ્રસંગે રાજ્યભરમાંથી વિવિધ જૂથો, સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે. બપો...