જાન્યુઆરી 17, 2025 2:25 પી એમ(PM)

views 24

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈની જોડી ઑસ્ટ્રેલિયન ઑપન ટૅનિસ ટૂર્નામેન્ટમાં મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચી છે. આ જોડીએ પહેલા રાઉન્ડમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને ફ્રાન્સના ક્રિસ્ટિના મ્લાદેનૉવિકની જોડીને 6-4, 6-4થી હરાવી હતી. ભારતના એન. શ્રીરામ બાલાજી અને મેક્સિકોના મિગુએલ એન્જલ રેયેસ...

જાન્યુઆરી 17, 2025 2:24 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકે છે. શ્રોતાઓ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો...

જાન્યુઆરી 17, 2025 2:23 પી એમ(PM)

views 17

છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા

છત્તીસગઢમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણ બાદ પોલીસને ઘટનાસ્થળેથી 12 માઓવાદીઓના મૃતદેહ અને કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ગઇકાલે થયેલી આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

જાન્યુઆરી 17, 2025 2:20 પી એમ(PM)

views 12

વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું

વિશ્વ બૅન્કે એપ્રિલમાં શરૂ થનારા નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જે પ્રવર્તમાન નાણાકીય વર્ષના વૃદ્ધિ દરથી સામાન્ય વધારે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના વૃદ્ધિ દરના અનુમાન સંબંધિત વિશ્વ બૅન્કનો આ અહેવાલ ગઈકાલે જાહેર કરાયો હતો, જેમાં પ્રવર્તમાન નાણાકીય વર...

જાન્યુઆરી 17, 2025 2:19 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, “ગુજરાતમાં વડનગરનો 2 હજાર 500 વર્ષથી વધુ પૌરાણિક ઇતિહાસ છે.” સોશિયલ મીડિયાના એક વીડિયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આની જાળવણી માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વડનગરમાં અત્યાધુનિક સંગ્રહાલય અને પુરાતાત્વિક અર્થઘટન કેન્દ્ર...

જાન્યુઆરી 17, 2025 2:18 પી એમ(PM)

views 40

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે આજે બેંગલુરુમાં નવા અમેરિકન કોન્સ્યુલેટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે બંને દેશો પાસે ખાસ કરીને AI, અવકાશ ક્ષેત્ર, સંરક્ષણ, ડ્રોન, બાયો ટેકનોલોજી જેવા ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવાની ક્ષમતા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બેંગલુરુ ટેકનોલ...

જાન્યુઆરી 17, 2025 2:17 પી એમ(PM)

views 14

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે રહેશે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. પદ ગ્રહણ કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશનો આ તેમનો પહેલો પ્રવાસ હશે. પ્રવાસ દરમિયાન શ્રી ધનખડ એક જન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમજ વિવિધ પરિયોજનાનો પ્રારંભ કરાવશે. શ્રી ધનખડ સ્વયંસહાય સમૂહ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

જાન્યુઆરી 17, 2025 2:16 પી એમ(PM)

views 15

ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ 12 ટકાના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે, ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે ભારતનો ઓટો મોબાઇલ્સ ઉદ્યોગ મેક ઇન ઇન્ડિયા અને મેક વર્લ્ડના અભિગમ સાથે 12ના વૃધ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુંકે ભારતમાં મ...

જાન્યુઆરી 17, 2025 2:15 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ડી. ગુકેશ, મનુ ભાકર સહિતના ખેલાડીઓને મૅજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ્ઠિત ...

જાન્યુઆરી 17, 2025 2:13 પી એમ(PM)

views 30

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. 10 જાન્યુઆરીથી શરૂ થયેલી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 841 ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારો સોમવાર સુધી પોતાના ઉમેદવારીપત્ર પરત ખેંચી શકશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આગામી 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરી...