જાન્યુઆરી 18, 2025 8:21 એ એમ (AM)

views 20

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. ગેઈલના ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અને ત્યારબાદ આગની ઘટનાઓ પર કેવી રીતે કાબુ મેળવવો તેની તાલીમ આપવા માટે ઑફ-સાઇટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી.

જાન્યુઆરી 18, 2025 8:19 એ એમ (AM)

views 29

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે.

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ યોજાશે..ભરત નાટ્યમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારો આ બે દિવસ દરમિયાન કલાની પ્રસ્તુતિ કરશે. મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળન...

જાન્યુઆરી 18, 2025 8:18 એ એમ (AM)

views 25

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટર યુથ એવોર્ડ સમારોહ યોજાશે. ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૭ હજાર વિદ્યાર્થીઓને સ્કાઉટીંગ પ્રવૃત્તિઓ અને માનવાધિકારો વિષે જાગૃત્ત કરાશે. જેમાં દેશના ૧૮ રાજ્ય...

જાન્યુઆરી 18, 2025 8:16 એ એમ (AM)

views 20

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે આજે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસે આજે રાજભવનમાં રક્તદાન કેમ્પ યોજાશે.સવારે 8.00 વાગ્યાથી ગાંધીનગરના રાજભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર અને અમદાવાદ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઑફ અમદાવાદ હોસ્ટ તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ...

જાન્યુઆરી 18, 2025 8:15 એ એમ (AM)

views 28

ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે.

ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચને હવે વિકસાવવામાં આવશે. આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીનાં રોજ અહીં બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે.આ બીચને ડેવલપ કરવાનું બીડુ ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છ...

જાન્યુઆરી 18, 2025 8:13 એ એમ (AM)

views 19

નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે.

નર્મદા નદીના પાણીનો લાભ હવેથી કચ્છ જિલ્લાના અંતરીયાળ ગામડાના ખેડૂતોને પણ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે 2 હજાર 6 કરોડ રૂપિયાનું ફંડ પણ મંજૂર કર્યું છે. આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ લોકોને લાભ મળશે અને 1 ...

જાન્યુઆરી 18, 2025 8:11 એ એમ (AM)

views 29

આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણના માધ્યમથી પ્રગતિશીલ બને તે માટે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડાનો ૪૧મો વાર્ષિકોત્સવ યોજાયો.

આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણના માધ્યમથી પ્રગતિશીલ બને તે માટે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડાનો ૪૧મો વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ અને પેરા મેડીકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન વિવિઘ ક્ષેત્...

જાન્યુઆરી 18, 2025 8:10 એ એમ (AM)

views 43

નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું.

નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીગનરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થના હેલ્થ ડિપ્લોમ...

જાન્યુઆરી 18, 2025 8:08 એ એમ (AM)

views 17

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરશે ત્યારે બાદ અમદાવાદના આઇઆઇએમ ખાતે હેલ્થકેર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે .આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા બાદ ગાંધીનગરના પાલજ ખાતેને નિપેરના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે પ્રવાસના બીજા દ...

જાન્યુઆરી 18, 2025 8:03 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી વિતરીત થનારા સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામિત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વર્ચ્યુઅલી વિતરણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી નજીકના સાલ એજ્યુકેશન ઓડિયોરિયમ ખા...