સપ્ટેમ્બર 19, 2025 8:06 પી એમ(PM)

views 18

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોએ દર્શાવેલી હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે આદત બની ગઇ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા દર્શાવવામાં આવેલ સંકલન અને હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે અપવાદ નથી, પરંતુ એક આદત બની ગઈ છે. શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની 60મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મારક સમારોહમાં નિવૃત્...

સપ્ટેમ્બર 19, 2025 8:02 પી એમ(PM)

views 40

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે. આ પક્ષોએ 2019 થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે પંચે આ નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, પંચે ગયા મહિને 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા...

સપ્ટેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે-34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે છે. તેઓ ભાવનગર હવાઈમથકથી જવાહર મેદાન સુધી રોડ શો યોજશે અને ભાવનગરમાં અંદાજે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બંદર વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને લગતા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 'સમુદ્રથ...

સપ્ટેમ્બર 19, 2025 8:09 પી એમ(PM)

views 20

ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી

ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી છે. ભારતે જણાવ્યું હતું કે વિશ્વ આતંકવાદીઓ અને પાકિસ્તાની સરકાર અને સૈન્ય વચ્ચેના જોડાણથી માહિતગાર છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના તાજેતરના વીડિયો અંગેના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ...

સપ્ટેમ્બર 19, 2025 7:38 પી એમ(PM)

views 20

કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું

કચ્છ જિલ્લાનું ધોરડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભાવનગર ખાતેથી આ સોલર વિલેજનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100 ટકા રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન કરાયું છે. આ પ્રોજેક્ટ થકી ધોરડોના 81 રહેણાંક ઘરો માટે 17...

સપ્ટેમ્બર 19, 2025 7:37 પી એમ(PM)

views 16

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ રાજકોટ ખાતેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન અને 7 જોડી ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે હતા. તેમણે નવાગઢ રેલવે મથકેથી વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી વિવિધ મથકો પર મળેલા 7 જોડી ટ્રેનોના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યુ, આ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરના રંગકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક લ...

સપ્ટેમ્બર 19, 2025 7:34 પી એમ(PM)

views 88

ઉત્તર ગુજરાત-કચ્છ સિવાયના વિસ્તારોમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છ સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા...

સપ્ટેમ્બર 19, 2025 7:33 પી એમ(PM)

views 32

ક્રિકેટ એશિયા કપમાં આજે ભારત અને ઓમાન વચ્ચે મુકાબલો

એશિયા કપ 2025ના પોતાના અંતિમ ગ્રુપ A મેચમાં ભારત આજે અબુ ધાબીમાં ઓમાન સામે રમશે. બે મેચમાંથી ચાર પોઈન્ટ સાથે, ભારત પહેલાથી જ સુપર 4 પ્રવેશી ગયું છે, જ્યારે ઓમાન બહાર થઈ ગયું છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે UAE સામે હાઇ-સ્કોરિંગ જીત સાથે શરૂઆત કરી હતી અને તેની છેલ્લી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું ...

સપ્ટેમ્બર 19, 2025 3:15 પી એમ(PM)

views 25

કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના એક લાખ 92 હજાર 700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા

કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના એક લાખ 92 હજાર 700થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા છે. એક સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર એક લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ગત અંદાજપત્રમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષન...

સપ્ટેમ્બર 19, 2025 3:14 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી “ચલો જીતે હૈ”, ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી "ચલો જીતે હૈ", ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે, તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ રાજહંસ સિનેમામાં આ ફિલ્મના દરરોજ બે શો ચાલી રહ્યા છે. ફિલ્મને જોઈ શાળાના બાળકોને નવી ઉર્જા, નવી પ્રેરણા મળી રહી છે.