ડિસેમ્બર 31, 2025 2:24 પી એમ(PM)

views 25

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે દિવ્યાંગ રમતવીરો માટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટ્રાયલ સિલેકશન ફોર ધ બ્લાઈન્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સીની સ્પર્ધા યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે દિવ્યાંગ રમતવીરો માટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટ્રાયલ સિલેકશન ફોર ધ બ્લાઈન્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સીની સ્પર્ધા યોજાઈ. કોર એરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 55 જેટલા પ્રજ્ઞાચક્ષુ તથા સેરેબ્રલ પાલ્સી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દ...

ડિસેમ્બર 31, 2025 2:23 પી એમ(PM)

views 33

ભાવનગર રેલવે મંડળ પર આવતીકાલે પહેલી જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ થશે.

ભાવનગર રેલવે મંડળ પર આવતીકાલે પહેલી જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ વખતે ભાવનગર મંડળમાંથી પસાર થતી ચાર ટ્રેન હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા આઠ ટ્રેન હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવાશે. ભાવનગર–સુરેન્દ્રનગર પેસ...

ડિસેમ્બર 31, 2025 2:22 પી એમ(PM)

views 50

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો.

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ પડ્યો. ભરશિયાળે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. હંજડાપર, મોવાણ, સોનારડી, દાત્રાણા, જુવાનપુર સહિતના ગામોમાં આજે માવઠું થયુ...

ડિસેમ્બર 31, 2025 2:21 પી એમ(PM)

views 22

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઈકાલે ગાંધીનગરના રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય – NFSUની મુલાકાત લીધી.

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઈકાલે ગાંધીનગરના રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય – NFSUની મુલાકાત લીધી. તેમની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશની ત્રણ વિશ્વ-વિદ્યાલયે ન્યાયસહાયક વિજ્ઞાન ક્ષેત્રમાં ક્ષમતા-નિર્માણ માટે NFSU સાથે સમજૂતી કરાર કર્યા. આ પ્રસંગે લોકોને સંબોધતાં સુશ્રી પટેલે કહ્યું...

ડિસેમ્બર 31, 2025 10:25 એ એમ (AM)

views 22

કર્ણાટકને હરાવીને ગુજરાતની ટીમ મહિલા અંડર 19 વન-ડે ટ્રોફી એલિટની ફાઇનલમાં પહોંચી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત મહિલા અંડર-19 વનડે ટ્રોફી એલિટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. પ્રથમ સેમિફાઇનલ ગઇકાલે પૂણેના વીરાંગણ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત અને કર્ણાટક વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે 5 વિકેટે જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ડિસેમ્બર 31, 2025 10:24 એ એમ (AM)

views 23

રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ સત્રમાં રાજ્યભરના લોકોને જોડાવા અપીલ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આવતીકાલે ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ નામના 'સૂર્ય નમસ્કાર અને ધ્યાન' સત્રનું આયોજન કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને રાજ્યના યુવાનોને પ્રોત્સાહન આપશે. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ – શીશપાલજીએ લોકોને આ કાર્યક્રમમાં જોડવવા અનુરોધ ક...

ડિસેમ્બર 31, 2025 10:24 એ એમ (AM)

views 26

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટ વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની એકમાત્ર જાહેર ક્ષેત્રની હોસ્પિટલ બની

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.એક જ વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર જાહેર ક્ષેત્રની હોસ્પિટલ બની છે. આ હોસ્પિટલમાં નવેમ્બર 2024 સુધીમાં 400 અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા, ...

ડિસેમ્બર 31, 2025 10:23 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે રાજ્ય સરકારના વર્ષ 2026ના કેલેન્ડરનું વિમોચન કર્યું. તેમણે 'આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ - વોકલ ફોર લોકલ' વિષયવસ્તુ આધારિત આ કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી.આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર, ફાર્મા , સિરામિક, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગ અને પાટણના પટોળા, ...

ડિસેમ્બર 31, 2025 10:22 એ એમ (AM)

views 32

આજે મોડી રાત સુધી થનારી 31મી ડિસેમ્બર નવા વર્ષની શાંતિપૂર્ણ ઉજવણી માટે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં

રાજ્યભરમાં આજે 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે.અમદાવાદ ગ્રામીણ પોલીસે ૩૧ ડિસેમ્બરની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં થાય તે માટે તમામ તકેદારી લઇ રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ આજે રાત્રે રાજ્ય માર્ગો અને હાઇવે ઉપર તૈનાત રહેશે જેને ક...

ડિસેમ્બર 31, 2025 10:17 એ એમ (AM)

views 24

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા જશે. ડૉ. જયશંકર બેગમ ખાલિદાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.