ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા અને યુવાનોને સમાન તકો પૂરી પાડીને વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે માનવ અધિકાર દિવસ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 5 હજાર વર્ષથી પણ જૂની સંસ્કૃતિ ધરાવતા ભારતે સૌહાર્દ, કરૂણાનાં મૂલ્યો જાળવી રાખ્યા છે. તેમણે બાળકોમાં વધી રહેલા તણાવને દૂર કરવા પગલાં લેવા આહવાન કર્યું છે અને એનએચઆરસી સહ...

ડિસેમ્બર 7, 2024 8:45 એ એમ (AM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના બાંગરીપોસી ખાતે ત્રણ નવી રેલ્વે લાઇન – બાંગરીપોસીથી ગૌમહિસાની, બદામપહાડથી કેંદુઝારગઢ અને બુડામોરાથી ચકુલિયાનો શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના બાંગરીપોસી ખાતે ત્રણ નવી રેલ્વે લાઇન - બાંગરીપોસીથી ગૌમહિસાની, બદામપહાડથી કેંદુઝારગઢ અને બુડામોરાથી ચકુલિયાનો શિલાન્યાસ કરશે. દક્ષિણ-પૂર્વ રેલ્વે હેઠળ આવતી નવી રેલ લાઇન્સ ઓડિશાના મુખ્ય પ્રદેશોને જોડશે અને તેનાથી કનેક્ટિવિટી વધશે, આર્થિક વિકાસને ઉત્તેજન મળશે અને આ પ્રદેશમાં જીવનધોરણમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા તાજેતરમાં રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી ...

ડિસેમ્બર 3, 2024 8:02 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ પુરસ્કાર વિજેતાઓને પ્રેરણાના કેન્દ્રો જ નહિં પણ પ્રેરણાના સ્ત્રોત ગણાવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દિવ્યાંગ એવોર્ડ વિજેતાઓ માત્ર પ્રેરણાના કેન્દ્રો જ નથી પણ પ્રેરણાના સ્ત્રોત પણ છે. રાષ્ટ્રપતિએ  આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2024ના અવસરે 33 ટકા વિકલાંગતા ધરાવતી અનુકરણીય વ્યક્તિઓ અને સંસ્થાઓને સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા.  રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડલ બનીને ઉભરી રહ્યા છે. તેમણે કહ્યું કે આને અનુસરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગોના સશક્તિકરણની દિશામ...

નવેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચાર દિવસના તમિલનાડુના પ્રવાસે કોઇમ્બતુર પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની ચાર દિવસની તમિલનાડુની મુલાકાત અંતર્ગત આજે કોઈમ્બતુર પહોંચ્યા છે. તેઓ વેલિંગ્ટન ઊટી ખાતે આવતીકાલે સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાં યોજાનાર એક કાર્યક્રમમાં ઉપસ્થીત રહેશે. 29મી એ તેઓ નીલગીરીમાં આદિવાસી સમુદાય સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને કોઈમ્બતુર અને ઉટી તથા તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા કરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાનને કારણે રાષ્ટ્રપતિ રોડ માર્ગે ઊટી જઈ રહ્યા છે.

નવેમ્બર 24, 2024 8:38 એ એમ (AM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સાહિત્ય માનવતાને સશક્ત અને સમાજને શ્રેષ્ઠ બનાવે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સાહિત્ય માનવતાને સશક્ત અને સમાજને શ્રેષ્ઠ બનાવે છે. ગઈકાલે નવી દિલ્હીમાં સાહિત્ય આજતક સન્માન સમારોહમા સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. સુશ્રી મૂર્મૂએ કહ્યું કે સાહિત્ય બદલાતા સંજોગો અનુસાર માનવતાના શાશ્વત મૂલ્યોનુ ઘડતર કરેછે. તેમણે કહ્યું કે દેશના પ્રાદેશિક સાહિત્યના કાર્યોમાં અખંડ ભારતની ચેતના હંમેશા હાજર રહી છે.

નવેમ્બર 24, 2024 8:37 એ એમ (AM)

views 26

શીખોના નવમા ગુરુ ગુરુતેગ બહાદુરનો આજે શહીદી દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે.

શીખોના નવમા ગુરુ ગુરુતેગ બહાદુરનો આજે શહીદી દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. ગુરુ તેગ બહાદુરે ધર્મ, માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુરુ તેગ બહાદુરની શહાદતને દર વર્ષે શહીદી દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુરને શ્રદ્ધાંજલિ પાઠવતા પોતાના સંદેશમાં કહ્યું છે કે, ગુરુ તેગ બહાદુરે મહાન આધ્યાત્મિક માર્ગદર્શક અને સાચા દેશભક્ત હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને ગુરુ તેગ બહાદુરના ઉપદેશોને અપનાવવા અને તેમના જીવનમાં તેમના...

નવેમ્બર 22, 2024 2:38 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’નો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવા માટે ‘રાષ્ટ્ર પ્રથમ’નો અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે હૈદરાબાદમાં લોક મંથનની ચોથી આવૃત્તિને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ દેશમાં અનેક વિવિધતા હોવા છતાં સંગઠિત રાખવા ભારતીય સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને જ્ઞાનનો નવસંચય કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું ઔપચારિક ઉદઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુલામીની માનસિકતા દૂર થાય તે પછી સામાજિક અસમાનતાનો અંત આવશે. રાષ્ટ્રપતિએ સરકારે તાજ...

નવેમ્બર 15, 2024 2:03 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઐતિહાસિક “બાલી જાત્રા” અને “બૉઈત બંદન”ના શુભ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી અને તેમની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસામાં ઑડિશાનું યોગદાન મહત્વનું છે. સુશ્રી મુર્મૂએ કહ્યું, પોતાના ગૌરવશાળી ભૂતકાળમાંથી પ્રેરણા લઈ દેશવાસીઓના પ્રયાસ અને સખત મહેનતથી એક વિકસિત ભારતનું નિર્માણ કરાશે.

નવેમ્બર 14, 2024 6:47 પી એમ(PM)

views 25

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે ‘જનજાતિય ગૌરવ દિવસ’ ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાત્રે 8 વાગ્યે 'જનજાતિય ગૌરવ દિવસ' ની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંદેશ આપશે. આકાશવાણી, દિલ્હી તેના ઈન્દ્રપ્રસ્થ, આકાશવાણી લાઈવ ન્યૂઝ 24x7, એફએમ ગોલ્ડ અને એફએમ રેઈનબો ચેનલ્સ પર રાષ્ટ્રપતિ મુર્મુના સંદેશનું પ્રસારણ કરશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવશે. આ દિવસ રાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરે છે. રાષ્ટ્રપતિનો સંદેશ આવતીકાલે તમામ પ્રાથમિક ચેનલો, સ્થાનિક રેડિયો સ્ટેશનો અને આકાશવાણીના F...

નવેમ્બર 13, 2024 8:27 એ એમ (AM)

views 25

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દાદરાનગર હવેલીના સેલવાસ અને દીવની મુલાકાતે જશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઇ કાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રીમતી મુર્મૂ આજે દાદરાનગર હવેલીની મુલાકાતે આવશે. તેઓ સેલવાસમાં નમો આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. દરમિયાન, રાષ્ટ્રપતિની દીવની મુલાકાત પૂર્વે તૈયારીઓ થઈ રહી છે. અમારા દીવના પ્રતિનિધી ભારતી રાવલ જણાવે છે કે, રાષ્ટ્રપતિ દીવ ખૂખરી સ્મારક અ...