જાન્યુઆરી 1, 2025 8:21 એ એમ (AM)

views 43

નવી આશા, ઉમંગ અને પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ

નવી આશા, નવા ઉમંગ અને નવા પડકારો સાથે વર્ષ 2025નો પ્રારંભ થયો છે. દેશભરમાં લોકોએ નવા વર્ષને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યું હતું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. નવા વર્ષની વહેલી સવારથી જ દેશભરના લોકો પોતાના સ્નેહીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો પર માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી દરમિયાન દીવાઓ સાથે 'નવું વર્ષ 2025 મંગલમય' લખી...

ડિસેમ્બર 26, 2024 8:05 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વીર બાળ દિવસ પ્રસંગે નવી દિલ્હીમાં દેશના 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદના યુવક ઓમ જિજ્ઞેશ વ્યાસનો સમાવેશ થાય છે. 17 વર્ષીય ઓમ દિવ્યાંગ છે, તેમને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ પુરસ્કાર એનાયત કરાયો છે. ઓમ વ્યાસ સેરેબ્રલ પાલ્સી એમઆર-90 ટકાથી પિડીત છે. તેમને સુંદરકાંડ અને ભગવદ્ ગીતા સહિત 5 હજારથી વધુ સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે. અનેક પડકારો છતાં તેમણે સમગ્ર ભારતમાં 500થી વધુ સ્ટેજ શો કર્યા છે અને દિવ્યાં...

ડિસેમ્બર 26, 2024 7:43 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક એવોર્ડ વિજેતાને મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ વીર બાળ દિવસના અવસર પર સાહિબજાદાઓની બહાદુરી અને બલ...

ડિસેમ્બર 26, 2024 2:07 પી એમ(PM)

views 29

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. ચૌદ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કળા અને સંસ્કૃતિ, વીરતા, નવીનતા, વિજ્ઞાન અને ટૅક્નૉલોજી, સામાજિક સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રમાં તેમની સિદ્ધિઓ બદલ આ સન્માન અપાયું છે. પુરસ્કાર વિજેતઓને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિ પુસ્તિકા આપવામાં આવી હતી. બાળકોને શુભેચ્છાઓ પાઠવતા શ્રીમતી મુર્મૂએ કહ્યું કે, તેમની સિદ્ધિઓ દેશના નાગરિકોને પ્રેરણ...

ડિસેમ્બર 26, 2024 8:59 એ એમ (AM)

views 42

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને આ પુરસ્કારો 7 શ્રેણીમાં એનાયત કરાશે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણમાં સિદ્ધિઓ માટે સરકાર બાળકોને બાળ પુરસ્કારથી સન્માનિત કરે છે. દરેક પુરસ્કાર મેળવનારને ચંદ્રક, પ્રમાણપત્ર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.

ડિસેમ્બર 25, 2024 8:48 એ એમ (AM)

views 29

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિ હવે ઓડિશાના રાજ્યપાલ બનશે. ઓડિશાના ગવર્નર રઘુબર દાસના રાજીનામા બાદ શ્રી કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આરિફ મોહમ્મદ ખાનનું સ્થાન લેશે જેમને હવે બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ ગ...

ડિસેમ્બર 19, 2024 7:48 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પંચમહાલ જિલ્લાના વાવકુલ્લી-2 પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસનયુક્ત પંચાયત” તરીકેનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પંચમહાલ જિલ્લાના વાવકુલ્લી-2 પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસનયુક્ત પંચાયત” તરીકેનો પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. “રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024” અંતર્ગત દેશની અંદાજે એક લાખ 94 હજાર ગ્રામ પંચાયતના નૉમિનેશન પૈકી ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી-2 પંચાયતની પસંદગી કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિશ્રીએ પુરસ્કાર એનાયત કરી પ્રથમ પુરસ્કાર તરીકે એક કરોડ રૂપિયાની રકમ ગ્રામ પંચાયતને આપી હતી. રાજ્ય સરકાર વતી અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયા અને રાષ્ટ્...

ડિસેમ્બર 17, 2024 9:31 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશમાં મંગલાગિરી એઈમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિકંદરાબાદની ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ્વજ પણ રજૂ કરશે. તેઓ રાષ્ટ્રપતિ નિલયમ ખાતે મહાનુભાવો અને શિક્ષણવિદોના સ્વાગત સમારોહમાં હાજરી આપશે.

ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 36

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની વાવકુલ્લી ગ્રામ પંચાયતને સુશાસન ધરાવતી પંચાયત શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં 1 લાખ 94 હજાર ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો. કુલ પુરસ્કાર વિજેતાઓમાં 42 ટકા પંચાયતોમાં મહિલાઓની આગ...

ડિસેમ્બર 10, 2024 8:11 પી એમ(PM)

views 20

દેશમાં અધિકારો અને ગૌરવનું રક્ષણ કરતા સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં સમાન ડિજિટલ વાતાવરણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે, જે તમામના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરે છે.આજે નવી દિલ્હીમાં માનવાધિકાર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર ગુના અને આબોહવા પરિવર્તન માનવ અધિકારો માટે નવો ખતરો છે. તેમણે કહ્યું, ડિજિટલ યુગ પરિવર્તનશીલ છે.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ગરીબી નાબૂદી, ભૂખ નાબૂદી અને યુવાનોને સમાન તકો પ્રદાન કરીને ભારત વિશ્વ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊભરી રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુ...