ઓગસ્ટ 30, 2024 2:10 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાંઆવ્યા છે અને વિશ્વનું અડધું ડિજિટલ પેમન્ટ ભારતમાં થાય છે

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે સજાતિય સમુદાયનાવ્યક્તિઓ માટે સંયુક્ત બેંક ખાતું ખોલવા અને સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિને નોમિનીતરીકે નોમિનેટ કરવા માટે કોઈ પ્રતિબંધ નથી. મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે ગઈકાલેઆ સંદર્ભમાં એક એડવાઈઝરી બહાર પાડી હતી.સુપ્રિયા ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના 17મી ઑક્ટોબર,2023ના આદેશને ધ્યાનમાં રાખીને આ એડવાઇઝરી બહારપાડવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખાતાધારકના મૃત્યુનાંસંજોગોમાં નોમિની તેનાં ખાતામાં બેલેન્સ મેળવી શકે છે.

ઓગસ્ટ 22, 2024 9:17 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના છે. ગઈકાલે પ્રધાનમંત્રીનું વૉરસા ખાતે ઔપચારિક સ્વાગત કરાયું. છેલ્લા 45 વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પ્રથમ પૉલેન્ડ઼ પ્રવાસ છે. ગઈરાતે વૉરસામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું ...

ઓગસ્ટ 9, 2024 2:54 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ્ટર તપાસ ટુકડી હજી કેટલાક દિવસ વાયનાડ રોકાશે.

ઓગસ્ટ 9, 2024 2:52 પી એમ(PM)

views 33

આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી મોદીએ આ ચળવળમાં ભાગ લેનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી

આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચળવળમાં ભાગ લેનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળને સ્વતંત્રતા સંગ્રામની અમૂલ્ય ક્ષણ ગણાવી હતી. આ પ્રસંગે વિડિયો સંદેશ દ્વારા વિચારો રજૂ કરતા શ્રી મોદીએ સંસ્થાનવાદી શાસનથી ભારતની આઝાદીની લડતમાં ચળવળની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત છોડો આંદોલનને કારણે, દેશનો વર્તમાન સામૂહિક અવાજ, ભ્રષ્ટાચાર, વંશવાદી રાજકારણ અને તુષ્ટિકરણથી મુક્ત રાષ...

ઓગસ્ટ 9, 2024 10:50 એ એમ (AM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે. આ પૂર્વે ગઈકાલે કન્નૂર અને વાયનાડમાં પ્રધાનમંત્રી માટેની સુરક્ષા બેઠક મળી હતી. પ્રધાનમંત્રી વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. દરમિયાન કેરળ અને કર્ણાટકની લશ્કરી ટુકડીઓના લગભગ પાચસો જેટલા જવાનો વાયનાડથી પરત ફર્યા છે. નવનિર્મિત બેલી બ્રીજને મજબૂત બનાવવા માટે એક નાની ટુકડી અને હેલિકોપ્ટર તપાસ ટુકડી હજી કેટલાક દિવસ વાયનાડ રોકાશે.

જુલાઇ 28, 2024 7:55 એ એમ (AM)

views 162

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન...

જુલાઇ 27, 2024 2:46 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રિય અનામત પોલીસ દળ-CRPFના સ્થાપના દિવસ નિમિત્તે શુભેછાઓ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ CRPFના સમર્પણ અને સેવાની પ્રશંસા કરી.તેઓએ ઉમેર્યું કે CRPFના જવાનોએ  સાહસ અને પ્રતિબદ્ધતાથી હંમેશા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં સર્વોપરી ભૂમિકા ભજવી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ CRPFના જવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છા વ્યક્ત કરી છે. શ્રી શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યુ કે CRPFએ તેની સ્થાપનાના સમયથી જ રાષ્ટ્રની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું છે.

જુલાઇ 27, 2024 2:22 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલ રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે.ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમ...

જુલાઇ 27, 2024 8:31 એ એમ (AM)

views 176

આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ‘મન કી બાત’ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન એઆઈઆર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્...

જુલાઇ 26, 2024 8:14 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નિતી આયોગનીસંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીમાં યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઅધ્યક્ષપદે નિતી આયોગની સંચાલન પરિષદની નવમી બેઠક આવતીકાલે દિલ્હીના રાષ્ટ્રપતિભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષયવસ્તુ છે વર્ષ 2047 સુધીમાંભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતનાદ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચાવિચારણા થશે. નિતીઆયોગના સૂત્રોના જણાવ્યામુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજય સરકારોવચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવા...