સપ્ટેમ્બર 20, 2024 2:38 પી એમ(PM)

views 20

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખું વધુ મજબૂત કર્યું છે અને અનેક યોજનાઓ શરૂ કરી છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આવકનાં કોઈ બાધ વિના પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવશે. આ યોજના પાછળ ત્રણ હજાર 437 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, જેનો લાભ છ કરોડ વરિષ્ઠ નાગરિકોને થશે. આ ઉપરાંત, મેડિકલ કોલેજમાં 75 હજાર વધારાની બેઠકો ઉમેર...

સપ્ટેમ્બર 19, 2024 8:20 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે. આજે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય પાસાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી શનિવારે ક્વાડ નેતાઓનાં ચોથા સંમેલનમાં ભાગ લેશે. સંમેલનથી અલગ તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. શ્રી મિસરીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી રવિવારે અમેરિકામાં વસતા વિશાળ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. તેઓ સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા...

સપ્ટેમ્બર 19, 2024 10:05 એ એમ (AM)

views 42

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે.

નવી દિલ્હીમાં આજથી ચાર દિવસનાં કાર્યક્રમ વર્લ્ડ ફુડ ઇન્ડિયા 2024નો પ્રારંભ થશે. અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં 90થી વધુ દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તથા 18 કેન્દ્રીય મંત્રાલયો ભાગ લેશે. આ કાર્યક્રમનું પાર્ટનર કન્ટ્રી જાપાન અને ફોકસ કન્ટ્રી વિયેતનામ તથા ઇરાન છે. આ કાર્યક્રમમાં અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં નવીનીકરણ અને ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે. અન્ન પ્રક્રિયા ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઊભરતી ભૂમિકા પર પ્રકાશ પાડવાનો આ મહત્વપૂર્ણ પ્રસંગ છ...

સપ્ટેમ્બર 19, 2024 9:04 એ એમ (AM)

views 47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આજે કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ આજે શ્રીનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કતરા ખાતે ચૂંટણી સભા સંબોધશે.આ પહેલાં પ્રધાનમંત્રીએ ડોડામાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે સરકારની સિદ્ધિઓ અને છેલ્લા ઘણા વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ લાવવાના તેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન ન...

સપ્ટેમ્બર 18, 2024 9:08 એ એમ (AM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. દરમિયાન તેઓ 21 સપ્ટેમ્બરે વિલમિન્ગ્ટૉનમાં યોજનારા ચોથા ક્વાડ સંમેલનમાં હજરી આપશે. અમેરિકાની અપીલને પગલે ભારત 2025માં આ સંમેલનની મેજબાની કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સંમેલનમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોને તેમના વિકાસ લક્ષ્યો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે આગામી વર્ષનો ઉદ્દેશ્ય નક્કી કરશે. શ્રી મોદી આ મહિનાની 23મી તારી...

સપ્ટેમ્બર 17, 2024 9:19 એ એમ (AM)

views 60

પ્રધાનમંત્રીને જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ પુસ્તક ભેટ આપ્યું

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂજ્ય દાદા ભગવાનનું 'જ્ઞાની પુરુષ' પુસ્તક જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

સપ્ટેમ્બર 17, 2024 8:19 એ એમ (AM)

views 36

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકારના 100 દિવસમાં થયેલી કામગીરી સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં યોજાયેલા 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજે રાજ્યના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ...

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મહત્વાકાંક્ષી માર્ગદર્શિક છે. આ પરિષદ અને દિલ્હી ડેક્લરેશનનો સ્વીકાર એશિયા-પ્રશાંત દેશોનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતી અને સાતત્યતાને આગળ ધપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગ...

સપ્ટેમ્બર 9, 2024 7:55 પી એમ(PM)

views 22

અબુ ધાબીના પ્રિન્સ ક્રાઉન સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત બાદ પાંચ કરાર પર હસ્તાક્ષર

ભારત અને UAEએ આજે પરમાણુ ઉર્જા અને પેટ્રોલિયમ સહિત વિવિધ ક્ષેત્રોમાંપાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવરપ્લાન્ટના સંચાલન અને જાળવણી પરના એમઓયુનો સમાવેશ થાય છે. અબુ ધાબી નેશનલ ઓઈલકંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના એલએનજી સપ્લાયમાટેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન...

સપ્ટેમ્બર 3, 2024 7:57 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇ પહોંચ્યાઃ આવતી કાલે સિંગાપોરની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇ અને સિંગાપોરનાં પ્રવાસનાં પ્રથમ તબક્કામાં આજે બાન્દર સેરી બેગવાન પહોંચ્યા હતા. બ્રુનેઇના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાડેએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રુનેઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે શ્રી મોદીને પ્રાસંગિક આવકાર આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ બાન્દર સેરી બેગવાન ખાતે ભારતીય દૂતાવાસની નવી ચાન્સરીનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત, હોટલ ખાતે પ્રવાસી ભારતીયોએ શ્રી મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ સુલતાન ઉમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી હ...