પ્રાદેશિક સમાચાર

જુલાઇ 26, 2024 2:58 પી એમ(PM)

views 31

છેલ્લા સાત મહિનામાં રાજ્યના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ PNG જોડાણની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે

છેલ્લા સાત મહિનામાં રાજ્યના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ- PNG જોડાણની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રસિધ્ધ કરેલા આંકડા અનુસાર, 31 જુલાઇ, 2023 સુધીમાં, રાજ્યમાં ઘરેલુ PNG જોડાણની સંખ્યા 30 લાખ 78 હજાર હતી, જે 29 ફેબ્રુઆરી 2024નાં રોજ વધીને 32 લાખ 53 ...

જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM)

views 50

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લ...

જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM)

views 51

રાજયમાં કરાર આધારિત 1,110 તબીબોની સરકારી હોસ્પિટલમાં નિમણૂંક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બનાવવા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોની નિમણૂક કરવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ બજાવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ જિલ્લા હો...

જુલાઇ 26, 2024 8:32 એ એમ (AM)

views 39

રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શાંત થતાં પૂરની સ્થિતિમાંથી રાહત મળી છે. આ દરમિયાનમાં હવામાન વિભાગે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતનાં સુરત અને નવસારી સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેંજ અલર્ટ જાહેર કર્યું છે. અમારા સ...

જુલાઇ 25, 2024 7:49 પી એમ(PM)

views 30

દેવભૂમિદ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 75મા વનમહોત્સવની ઉજવણી કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના75મા વન મહોત્સવની આવતીકાલ 26 જુલાઈએ ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિકમહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે થનારી આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના હસ્તે 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નુંલોકાર્પણ કરાશે....

જુલાઇ 25, 2024 7:41 પી એમ(PM)

views 44

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાનસ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1 હજાર 470 ટકાનો વધારો નોંધાયો

રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ગુજરાતની સહકારીમંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બેવર્ષમાં 1 હજાર 470 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલાએક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું...

જુલાઇ 25, 2024 7:38 પી એમ(PM)

views 70

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઇએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારોઅથવા સ...

જુલાઇ 25, 2024 11:41 એ એમ (AM)

views 38

રેલવે મંત્રાલય દ્વારા રાજ્યનાં 87 સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરાશે.

રેલવે મંત્રાલય દ્વારા રાજ્યનાં 87 સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરાશે. રેલવે ક્ષેત્રમાં ગુજરાતને આપવામાં આવેલી સુવિધા અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વાત કરતાં કહ્યું કે, રાજ્યમાં નવા 224 રેલવે ટ્રેક આ બજેટ અંતર્ગત બનાવવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું, અમદાવાદ—મુંબઈ બ...

જુલાઇ 23, 2024 7:54 પી એમ(PM)

views 25

રાજ્યમાં આજે 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે

રાજ્યમાં આજે 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા દરમિયાન 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે છ ઈંચ વરસાદ દેવભૂમિદ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં નોંધાયો હતો. જ્યારે કચ્છના માંડવીમાં સાડા પાંચ ઇંચ, જામનગરના જોડિયા તાલુ...

જુલાઇ 23, 2024 7:52 પી એમ(PM)

views 37

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શ્રી પટેલે જિલ્લાના અધિકારો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવવા બેઠક યોજી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનું જોર આજે ઘટ્યું છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.