પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 4, 2025 7:38 પી એમ(PM)

views 32

ગુજરાત ATS-એ દેશની જાસૂસીના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધીદળ – ATS-એ દેશની જાસૂસી કરવાના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ATSની વિશેષ ટીમે વિશેષ અભિયાન હેઠળ ગોઆથી એક વ્યક્તિ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણથી મહિલાની ધરપકડ કરી છે. આ બંને આરોપી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાઓને પહોંચ...

ડિસેમ્બર 4, 2025 7:37 પી એમ(PM)

views 20

રાજ્યના 12 વિધાનસભા મતવિસ્તારમાં S.I.R. હેઠળ ગણતરીપત્રકોનું 100 ટકા ડિજિટાઈઝૅશન પૂર્ણ

રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીપત્રકોના ડિજિટાઈઝૅશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ 12 વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકા ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જ્યારે 94 પૂર્ણાંક 35 ટકા ડિજિટાઈઝૅશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. સુરેન્દ્રનગરમાં પણ એક હજાર 500થી વધુ બૂથ સ્તરના અ...

ડિસેમ્બર 4, 2025 7:35 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રીએ કચ્છમાં રણોત્સવની મુલાકાત લીધી – પર્યટકો સાથે સંવાદ કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના પ્રવાસ દરમિયાન આજે સફેદ રણમાં ધોરડો ખાતે રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે દેશ-વિદેશથી રણોત્સવથી આવેલા પર્યટકો સાથે સંવાદ કર્યો. પર્યટકોએ પણ રણોત્સવ માટેની વ્યવસ્થાની પ્રશંસા કરી. આ પહેલા મુખ્યમંત્રીએ ઊંટગાડીમાં બેસીને સફેદ રણનો નજારો માણ્યો હતો. શ્ર...

ડિસેમ્બર 4, 2025 7:34 પી એમ(PM)

views 26

રાજ્યની વૉલીબૉલ ટીમે મધ્યપ્રદેશમાં રમાયેલી સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.

રાજ્યના 19 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ટીમે વૉલીબૉલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મધ્યપ્રદેશના ગદરવાડા ખાતે યોજાયેલી 69-મી ભારતીય શાળા રમતગમત મહામંડળની વૉલીબૉલ સ્પર્ધામાં રાજ્યની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રમતગમત સત્તામંડળે આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ સત...

ડિસેમ્બર 4, 2025 2:51 પી એમ(PM)

views 24

ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે.

ભરૂચમાં છ અને સાત ડિસેમ્બરે ઍર શૉ યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લા વ્યવસ્થાપન સંગઠન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લૅ ટીમ દ્વારા આ ઍર શૉનું આયોજન કરાયું છે. આ ઍર શૉ પહેલા સતત ત્રણ દિવસ સુધી ટીમ દ્વારા તાલીમ સાથે અભ્યાસ પણ કરાયો.

ડિસેમ્બર 4, 2025 2:47 પી એમ(PM)

views 19

ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

ગીરસોમનાથમાં 108 ઍમ્બુલૅન્સના કર્મચારીએ દર્દીનો છ લાખ રૂપિયાથી વધુનો સામાન પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમારા પ્રતિનિધિ જણાવે છે, ગત રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સોમનાથના ઉનાના શિલોજ ગામ પાસે અકસ્માતનો 108-ને કૉલ મળ્યો હતો. ત્યારબાદ 108 ઍમ્બુલૅન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી દર્દીને હ...

ડિસેમ્બર 4, 2025 2:46 પી એમ(PM)

views 32

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવનો વિધિવત્ પ્રારંભ કરાવશે. તેઓ પૂનમની ચાંદનીમાં સફેદ રણને નીહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત 23 નવેમ્બરથી ખૂલ્લો મૂકાયેલા રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત...

ડિસેમ્બર 4, 2025 2:45 પી એમ(PM)

views 26

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

માગશર સુદ પૂનમ નિમિત્તે ખેડાના સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સવારે મંગળા આરતીમાં જય રણછોડના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બજારોમાં પણ ભારે ભીડ જોવા જામી હતી. આજે પૂનમ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજાધિરાજના દરબારમાં દર્શન...

ડિસેમ્બર 4, 2025 2:52 પી એમ(PM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર અને નંદઘરનું નિર્માણ કરવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં નવ હજાર જેટલા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંકપત્ર એનાયત કર્યાં બાદ કાર્યક્રમને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી પટેલે રાજ્યના બ...

ડિસેમ્બર 4, 2025 9:35 એ એમ (AM)

views 23

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ

ટેક્નિકલ કારણોસર, 7 ડિસેમ્બરે વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. યાત્રીઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી અસુવિધા ન થાય.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.