ડીડી ન્યૂઝ

એપ્રિલ 25, 2025 7:49 પી એમ(PM)

views 42

કેન્દ્ર સરકારે કહ્યું કે વકફ અધિનિયમ, 1995 માં સુધારા કાયદાના દુરુપયોગને રોકવાના ઉદ્દેશ્યથી કરાયા

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કહ્યું છે કે વકફ અધિનિયમ, 1995 માં સુધારા વકફ કાયદાના દુરુપયોગને રોકવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે, જેના કારણે સરકારી મિલકતો પર અતિક્રમણ થઈ રહ્યું હતું. આ ઉપરાંત, દેશમાં વક્ફ બોર્ડનું યોગ્ય વહીવટ અને સંચાલન થાય અને તેઓ પારદર્શિતા સાથે કામ ...

એપ્રિલ 25, 2025 9:28 એ એમ (AM)

views 44

રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો

રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાથમિક સહકારી મંડળીઓ અગાઉ દર વર્ષે 750 રૂપિયાની મર્યાદામાં ભેટ આપી શકતી હતી, જે હવે વધારીને 1 હજાર 250 રૂપિયા કરવામાં આવી છે. તાલુકા કક્ષાની મંડળીઓ એક હજારને બદલે અઢી હજાર, જિલ્લા કક્ષાની મંડળીઓ ત્રણ હજારને...

એપ્રિલ 24, 2025 3:21 પી એમ(PM)

views 27

છત્તીસગઢ-તેલંગાણાની સરહદ પર અથડામણમાં પાંચ નકસવાદીઓ ઠાર

છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાની પહાડીઓમાં નક્સલવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રના વિવિધ સુરક્ષા દળોએ પહાડીઓમાં માઓવાદી સંગઠનના ટોચના નેતાઓની...

એપ્રિલ 24, 2025 8:41 એ એમ (AM)

views 42

આતંકી હુમલાને લઈને રાજ્યની સરહદ પર ચેકિંગ હાથ ધરાયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે રાજ્યના સરહદી અને ધાર્મિક સ્થાનો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા - જતા વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને BSFના જવાનો દ્વારા તપાસ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે તકેદારીના ભાગર...

એપ્રિલ 22, 2025 8:02 પી એમ(PM)

views 34

સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ ; ૨૪ કેરેટનો ભાવ પ્રથમ વખત એક લાખ રૂપિયાએ પહોંચ્યો.

આજે સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રથમ વખત એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો. વિશ્વમાં વધતા રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે, સોનાની માંગ ઘણી વધારે છે. થોડા દિવસો પછી, અક્ષય તૃતીયાનો તહેવાર છે, જેના કારણે સોનાની માંગ વધી છે. ભારતના બુલિયન અને જ્વેલરી...

એપ્રિલ 19, 2025 1:25 પી એમ(PM)

views 41

ભારતે 30 અબજ ડોલરથી વધુની દવાની નિકાસ કરીઃ એક તૃતીયાંશ કરતાં વધુ હિસ્સાસાથે અમેરિકા મોખરે.

ગયા નાણાકીય વર્ષમાં ભારતે 30 અબજ ડોલરથી વધુ દવાની નિકાસ કરી હતી. ભારતમાટે અમેરિકા ટોચનું બજાર છે, જે દેશની કુલ દવા નિકાસમાં એક તૃતીયાંશકરતાં વધુ હિસ્સો ધરાવે છે. સત્તાવાર આંકડા અનુસાર, નાણાકીય વર્ષ2024-25માં દવાની  નિકાસ30 અબજ ડોલર હતી, જે નાણાકીય વર્ષ 2023-24માં 27.5 અબજ ડોલરની સરખામણીમાં 9 ટકાનો વ...

એપ્રિલ 18, 2025 10:45 એ એમ (AM)

views 36

તમામ સમિતીઓમાં મહિલાઓ અધ્યક્ષ તરીકે નિયુક્ત થતાં બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું શાસન

બોટાદ નગરપાલિકાની ગઇકાલે જનરલ બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમિતિના ચેરમેન તેમજ સભ્યની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ સમિતિના ચેરમેન તરીકે મહિલા ઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ મહિલા બન્યાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બોટાદ નગરપાલિકા મહિલા સંચાલ...

એપ્રિલ 16, 2025 8:09 પી એમ(PM)

views 28

વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજીઓની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કોઈ વચગાળાનો આદેશ આપ્યો નથી.

વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આજે કોઈ વચગાળાનો આદેશ આપ્યો નથી. કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલા ત્રણ મુદ્દાઓ પર પોતાની દલીલો તૈયાર કરવા માટે વધુ સમય માંગ્યો હતો. હવે સર્વોચ્ચ અદાલત આવતીકાલે આ કેસની સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ...

એપ્રિલ 16, 2025 8:06 પી એમ(PM)

views 68

સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે GSRTC એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે.

ગુજરાત એસ ટી નિગમ દ્વારા સોમનાથ દર્શન અને નડાબેટ, વડનગર અને મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે. આ નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને વાજબી ભાવે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની આરામદાયક મુલાકાતનો લાભ મળશે. સોમનાથ દર્શન ટુર પેકેજ અંતર્ગત આગામી 28 એપ્રિલથી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવાર...

એપ્રિલ 16, 2025 8:03 પી એમ(PM)

views 35

રાજ્યમાં આજે બનેલી અકસ્માતની બે ઘટનામાં 6 લોકોનાં મોત

રાજ્યમાં આજે રાજકોટ અને મહીસાગર જિલ્લામાં બનેલી અકસ્માતની વિવિધ બે ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે. રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા ચાર લોકોના મોત થયા છે. અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે 150 ફૂટ રીંગ રોડ પર પસાર થઈ રહેલી સિટી બસના ચાલકે એક પછી એક વાહન ચાલકોને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.