જુલાઇ 2, 2024 7:57 પી એમ(PM)

views 58

ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો

ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અંગે નોંધ રજૂ કરતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે શ્રી ગાંધીની કેટલીક ટિપ્પણીઓ તથ્યાત્મક રીતે ખોટીઅને ભ્રામક છે, અને આ અંગે જરૂરી કાર્યવાહી થવી જોઈએ. દરમિયાન રાહુલ ગાંધીએ ...

જુલાઇ 2, 2024 7:53 પી એમ(PM)

views 51

દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે સંબોધન કર્યું

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક નિવેદનમાં ન્યાયપાલિકાના આધારભૂત સિદ્ધાંતો તરીકે ન્યાય અને સમાનતા પર ભાર મૂક્યો છે.દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલત માત્ર ઇંટ-પથ્થરોથી નહીં, પરંતુ લ...

જુલાઇ 2, 2024 7:49 પી એમ(PM)

views 61

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત આવશે

ટી20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે. બારબાડોસમાં ચક્રવાતની સ્થિતને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા, ભારતીય ટીમના પરત ફરવામાં વિલંબથયો છે. અગાઉ નિર્ધારિત સમય પ્રમાણે ભારતીય ટીમ ગઈકાલે સવારે અગિયાર વાગ્યે પરતફરવાની હતી. અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહે...

જુલાઇ 2, 2024 7:47 પી એમ(PM)

views 47

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત

નીટ પરીક્ષા ગેરરીતિ  સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે. સીબીઆઈએ  ગોધરાની જય જલારામ શાળાનાસંચાલક દિક્ષિત પટેલ અને અન્ય 4 આરોપીઓને સાથે રાખીને પૂછપરછકરી નિવેદન લીધા હતા. દરમિયાન  ગુજરાત અને અન્યરાજ્યોના વિદ્યાર્થીઓને નોટીસ આપી બોલાવીને પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ આરો...

જુલાઇ 2, 2024 3:54 પી એમ(PM)

views 58

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ માટે હિમાચલ પ્રદેશ, પંજાબ, રિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદ યથાવત રહેશે. ગુજરાત અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગની મા...

જુલાઇ 2, 2024 3:53 પી એમ(PM)

views 52

સેબીએ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ હિન્ડેનબર્ગ રિસર્ચ એલ. એલ. સી, નાથન એન્ડરસન અને મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્ક કિંગ્ડનની સંસ્થાઓને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના શેર ટ્રેડિંગમાં ઉલ્લંઘન બદલ નોટિસ જારી કરી છે. આ 46 પાનની કારણ નોટિસમાં સેબીએ આરોપ મૂક્યો છે કે હિંડનબર્...

જુલાઇ 2, 2024 3:50 પી એમ(PM)

views 62

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરિઝ 6 થી 14 જુલાઈ દરમિયાન હરારેના સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ઝિમ્બાબ્વેએ શ્રેણી માટે તેની સત્તર સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી અને અનુભવી બેટ્સમેન સિકંદર રઝા યુવા ટીમનું નેતૃત્વ કરશે. ઝિમ્બાબ્વેએ બેલ્જિયમમાં જન્મેલા એન્તુમ નકવીનું ન...

જુલાઇ 2, 2024 3:47 પી એમ(PM)

views 62

ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે રવાના

ભારતીય લશ્કરનો કાફલો ભારત-થાઇલેન્ડ સંયુક્ત લશ્કરી કવાયત ‘મૈત્રી’ની 13મી આવૃત્તિ માટે ગઈ કાલે રવાના થયો છે. થાઇલેન્ડના તાક પ્રાંતમાં ફોર્ટ વચિરાપ્રકામ ખાતે 15 જુલાઇ સુધી કવાયત હાથ ધરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે,76 જવાનોના ભારતીય લશ્કરનાં કાફલામાં લડાખ સ્કાઉટ્સની બટાલિયન અને અન્ય સશસ્ત...

જુલાઇ 2, 2024 3:38 પી એમ(PM)

views 80

અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં વધારો કર્યો

ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી 710 ડોલરથી વધારીને 1,600 ડોલર કરી છે. આ પગલાથી ઓસ્ટ્રેલિયા દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આઅ નિયમ થકી સંભવિત વિ...

જુલાઇ 2, 2024 3:36 પી એમ(PM)

views 45

અમરનાથ યાત્રા માટે આજે છ હજાર 537 યાત્રીઓની પાંચમી ટૂકડી ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના

કાશ્મીર ખીણમાં વાર્ષિક અમરનાથ યાત્રા માટે આજે છ હજાર 537 યાત્રીઓની પાંચમી ટૂકડી ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી. આજે વહેલી સવારે 261 કાફલામાં યાત્રીઓ રવાના થયા હતા, જેમાં 5 હજાર 91 પૂરુષ, એક હજાર 102 મહિલા, 19 બાળકો, 301 સાધુઓ અને 24 સાધ્વીનો સમાંવેશ થાય છે. આમાંથી બે હજાર 106 યાત્રી...