ડિસેમ્બર 11, 2025 9:53 એ એમ (AM)

views 35

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11 લાખ કરતાં વધુ ખેડૂતોને બે હજાર 430 કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11 લાખ કરતાં વધુ ખેડૂતોને બે હજાર 430 કરોડ કરતાં વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સહાય પૂરી પાડવા માટે કુલ ત્રણ હજાર 320 કરોડ કરતાં વધુના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સહા મેળવ...

ડિસેમ્બર 11, 2025 9:44 એ એમ (AM)

views 41

ફ્લાઇટ રદ અને વિલંબની સમસ્યાને નિવારવા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં દેખરેખ ટીમ મૂકી

વ્યાપક ફ્લાઇટ રદ અને વિલંબ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ગુરુગ્રામમાં ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં સતત દેખરેખ રાખવા માટે ટીમની રચી છે. એક આદેશમાં, DGCA એ જાહેરાત કરી હતી કે આ પગલાનો હેતુ ફ્લાઇટ વિલંબ અને રદ થવાથી મુસાફરોને થતી અસુવિધાને દૂર કરવાનો છે.ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર...

ડિસેમ્બર 11, 2025 9:25 એ એમ (AM)

views 34

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મણિપુરની બે દિવસની મુલાકાતે ઇમ્ફાલ પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યમાં યોજાનારી ઔપચારિક અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે ઇમ્ફાલ પહોંચશે અને તેમને પરંપરાગત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ તેઓ ઐતિહાસિક મેપલ કાંગજેઇબું...

ડિસેમ્બર 11, 2025 8:28 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી – દ્વિપક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી. ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ આતંકવ...

ડિસેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)

views 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર ઘૂસણખોરીનો પોષવાનો આરોપ લગાવ્યો

લોકસભામાં ચૂંટણી સુધારા અને મતદાર યાદીઓના ખાસ સઘન સંશોધન (SIR) પર ઉગ્ર ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આરોપ લગાવ્યો કે, તેઓ તેમની મત બેંક સુરક્ષિત કરવા માટે ઘૂસણખોરોને રક્ષણ આપી રહ્યા છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે SIRનો ઉદ્દેશ નકલી એન્ટ્રીઓ અને ઘૂસણખોરીને દૂર કરીને મતદાર...

ડિસેમ્બર 11, 2025 8:25 એ એમ (AM)

views 154

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે ચંદીગઢ ખાતે રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યે ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી આગળ છે. કટકમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે, દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું. ...

ડિસેમ્બર 10, 2025 7:54 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બંધારણ ચૂંટણી પંચને મતદાર યાદી તૈયાર કરવાની સત્તા આપે છે, અને ખાસ સઘન સુધારણા (SIR) હાથ ધરવાની જવાબદારી આયોગની છે. લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન SIR અંગે વિપક્ષના આરોપોને નકારી કાઢતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, SIR મુદ્...

ડિસેમ્બર 10, 2025 7:53 પી એમ(PM)

views 16

રાજ્યસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા ચાલી રહી

રાજ્યસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ની 150મી વર્ષગાંઠ પર ચર્ચા ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વંદે માતરમ્ પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા, કોંગ્રેસ પક્ષના જયરામ રમેશે આરોપ લગાવ્યો કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાના ઇરાદાથી વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્ર...

ડિસેમ્બર 10, 2025 7:52 પી એમ(PM)

views 17

ભારતના મુખ્ય તહેવાર દિવાળી યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ

ભારતના મુખ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તહેવારોમાંના એક, દિવાળીને આજે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન -યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ જાહેરાત કરતા, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે આ દરેક ભારતી...

ડિસેમ્બર 10, 2025 7:51 પી એમ(PM)

views 22

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ તેમનું સન્માન પણ થાય છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારત એક એવો રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં માનવ અધિકારોનું રક્ષણ જ નહીં પણ તેમનું સન્માન પણ થાય છે. નવી દિલ્હીમાં માનવ અધિકાર દિવસ 2025 અને દૈનિક જરૂરિયાતો સુનિશ્ચિત કરવા પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ગૌરવ સાથે કોઈ વાટાઘાટો કરી શકાતી...