ડિસેમ્બર 25, 2025 7:36 પી એમ(PM)

views 18

અખિલ ભારતીય કંઠ્ય સંગીતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

અખિલ ભારતીય કંઠ્ય સંગીતની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અંધજન કલ્યાણ મંડળ રાજકોટ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં શાસ્ત્રીય સંગીત, વિભાગ – બ અને ફિલ્મી સંગીત, વિભાગ–બ માં રાજેશ ઠાકોરે પ્રથમ ક્રમાંક મેળવ્યો. જ્યારે સુગમ સંગીત, ...

ડિસેમ્બર 25, 2025 4:21 પી એમ(PM)

views 16

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જુનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગદા દર્શાવી આજે ખૂલ્લો મુક્યો.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જુનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગદા દર્શાવી આજે ખૂલ્લો મુક્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ એવી રમતોથી ખેલાડીઓનું વ્યક્તિત્વ ખીલે છે. દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટે રમત રમવી જરૂરી હોવ...

ડિસેમ્બર 25, 2025 4:06 પી એમ(PM)

views 14

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતના ચોક બજાર વિસ્તારમાં લાલ કિલ્લા ખાતે એક આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે સુરતના ચોક બજાર વિસ્તારમાં લાલ કિલ્લા ખાતે એક આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું. ગેલેરીમાં વાજપેયીના જીવન પ્રવાસને દર્શાવતી છબીઓ પ્રદર્શિત કરાઇ છે. કાર્યક્રમ બાદ શ્રી પાટીલે પ્રતિક્રિયા આપી.

ડિસેમ્બર 25, 2025 3:49 પી એમ(PM)

views 11

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની આજે 101મી જન્મજયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની આજે 101મી જન્મજયંતી નિમિત્તે વિવિધ જિલ્લાઓમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સુશાસન દિવસ નિમિત્તે સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. પાટણમાં અટલ સ્મૃતિ દિવસ નિમિતે સ્વર્ગીય અટલબિહ...

ડિસેમ્બર 25, 2025 3:45 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવશે..આગામી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવલમાં દરરોજ સાંજે વિવિધ કલાકારો પોતાની કળાની પ્રસ્તુતિ કરશે. તેમજ કાર્નિવલમાં વિવિધ આકર્ષણ પણ જોવા મળશે.

ડિસેમ્બર 25, 2025 3:43 પી એમ(PM)

views 55

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરે આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. શ્રી આહીરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમ...

ડિસેમ્બર 25, 2025 3:22 પી એમ(PM)

views 17

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું.

વિકસિત ભારત –-G RAM G અધિનિયમ, 2025” અંગે જાગૃતિ ફેલાવવા પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા ગામે ગ્રામસભાનું આયોજન કરાયું. ગામના સરપંચ ઉદેસિંહ પગીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ગ્રામસભામાં નવા અધિનિયમની મુખ્ય જોગવાઈઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી અપાઈ. ગ્રામસભામાં જણાવાયુ કે VB-G RAM G અધિનિયમ, 2025 હેઠળ ...

ડિસેમ્બર 25, 2025 3:12 પી એમ(PM)

views 18

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો.

મહેસાણા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ઘેટાં બકરામાં કૃમિનાશક કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેમાં એક લાખ 22 હજાર કરતા વધુ ઘેટાં બકરાને કૃમિ નાશક દવાઓ પીવડાવી રોગથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. કૃમિથી ઘેટાં બકરામાં વિવિધ રોગ થાય છે, ત્યારે તેઓને સુરક્ષિત કરવા 102 પશુધન નિરીક્ષક અને 21 પશુ ચિકિત્સા અધિકારી ફરજમ...

ડિસેમ્બર 25, 2025 2:29 પી એમ(PM)

views 16

સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ 2030 માં, અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી સમગ્ર વિશ્વ ભારત તરફ જોશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સાંસદ ખેલ મહોત્સવ દ્વારા દેશભરમાં હજારો પ્રતિભાશાળી રમતવીરો ઉભરી રહ્યા છે. આજે સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું તેનો વ્યાપ અને અસર નોંધપાત્ર રીતે વિસ્તરી છે. ખેલ મહોત્સવ યુવા વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો મજબૂત સ્તંભ બની રહ્ય...

ડિસેમ્બર 25, 2025 2:28 પી એમ(PM)

views 29

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપના રાષ્ટ્ર...