ડિસેમ્બર 14, 2024 5:51 પી એમ(PM)

views 32

અરૂણાચલપ્રદેશ: શાળામાં પાણીની ટાંકી તૂટી પડતા ત્રણ વિદ્યાર્થીઓના મોત

અરૂણાચલપ્રદેશના નહરલાગુન ખાતે એક શાળામાં પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે અને બે વિદ્યાર્થીઓને ઇજા થઈ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ બનાવના સંદર્ભમાં શાળાના મકાન માલિક, આચાર્ય સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.