ઓક્ટોબર 11, 2024 7:44 પી એમ(PM)

views 49

ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલય

ભારતે લેબનોનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત લેબનોનની સમગ્ર પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. તેમજ આ વિસ્તારમાં કથળતી જતી સલામતી વ્યવસ્થા અંગે ચિંતિંત છે. યાદીમાં જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના અભિગમનું દરેકે સન્માન કરવું જોઈએ. તેમજ તેના આદેશોનું પાલન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાષ્ટ્ર સંઘના બેઝ ખાતે ઇઝરાયલી દળોએ કરેલા તોપમારામાં રાષ્ટ્ર સંઘના શાંતિ રક્ષક દળના બે જવાનોને ઇજા થઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ...

ઓક્ટોબર 11, 2024 2:13 પી એમ(PM)

views 23

ઇઝરાયેલે લેબેનોન પર 25 હવાઇ હુમલા કર્યા, 21 લોકોનાં મૃત્યું

લેબેનોન પર ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા અને 41ને ઇજા થઈ હતી એમ લેબેનોનના સૂત્રોએ જણાવ્યું છે. ઇઝરાયેલનાં યુદ્ધ વિમાનોએ લેબેનોનમાં 25 હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે લશ્કરનાં ચેકપોઇન્ટ પર કરેલાં ડ્રોન હુમલામાં છ લેબેનીઝ સૈનિકોનાં પણ મૃત્યુ થયા હતા. દરમિયાન, લેબેનોનના સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલનાં હૂમલામાં એક ગામમાં ત્રણ માળની ઈમારતન નાશ પામી હતી.