ઓક્ટોબર 6, 2024 7:34 પી એમ(PM)

views 46

ગીર સોમનાથ: મફત નિદાન શિબિર યોજાઈ, 977 દર્દીઓએ નિદાન શિબિરનો લાભ લીધો

ગીર સોમનાથના તલાલા તાલુકામાં ધણેજ બાકુલા ગામ ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહને અનુલક્ષીને "સહ-અસ્તીત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ'' વિષય પર એક સેમિનાર યોજાઇ ગયો. જેમાં જાહેર જનતા સાથે વન્યપ્રાણી સહ- અસ્તીત્વ બાબતે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે વન વિભાગ અને જુનાગઢ રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે મફત નિદાન શિબિર તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 45 લાભાર્થીઓને PMJAY-આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. રકતદાન શિબિરમાં રક્તની 30 બોટલ એકત્રિત કરાઈ હતી ...

ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM)

views 47

મહેસાણા, અરવલ્લી અને ગીર સોમનાથમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 418 જેટલી અરજીનો હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ એક હજાર 209 જેટલી અરજીનો નિકાલ કરાયો હતો. અરવલ્લીના બાયડ તાલુકાના આમોદરા ગામમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્ય ચકાસણી, જાતિ આવકના દાખલાઓ, પૂરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અન...