ઓગસ્ટ 1, 2024 1:44 પી એમ(PM)

views 70

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયમૂર્તિઓની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે.સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાં વર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્યો હતો.આ ચૂકાદામાં જણાવાયું હતું કે, શિક્ષણનાં પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે અનુસુચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી.ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો ...