જાન્યુઆરી 24, 2025 7:49 પી એમ(PM)

views 16

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહીની ભાવનાનો સન્માન કરવાનો ઉત્સવ છે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ચૂંટણી પંચની રચનાની ઉજવણી જ નહી પરંતુ તે લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો પણ એક ઉત્સવ છે. ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની પૂર્વસંધ્યાએ આજે નવી દિલ્હીમાં જાહેર કરાયેલા એક સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ખાસ છે કારણ કે ભારતીય ચૂંટણી પંચ રાષ્ટ્રની સેવાના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, વર્ષ 2024 માં, વિશ્વએ ભારત તરફ આશ્ચર્યથી જોયું હતું કારણ કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં 64 કરોડ 60 લ...

સપ્ટેમ્બર 27, 2024 2:26 પી એમ(PM)

views 13

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની એક ટીમ આજે મહારાષ્ટ્રની મુલાકાતે છે. આ ટીમ બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. આ સાથે રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ અને જિલ્લા કલેક્ટરો સહિત અન્યો સાથે બેઠક કરશે.