ફેબ્રુવારી 8, 2025 7:26 પી એમ(PM)

views 35

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ ક્ષેત્રે તમામ સહાય કરવા માટે કટિબદ્ધ છે.મુખ્યમંત્રીએ આજે અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો અને પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. પટેલે ટેકનોલૉજીના વધતાં વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન કર્યું હતું.આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્ય...

ફેબ્રુવારી 2, 2025 8:10 એ એમ (AM)

views 25

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના નવલખી મેદાને ખાતે આયોજીત મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ સાથે જ વાઘોડિયા રોડ ઉપર નવનિર્મિત બરોડા પબ્લિક શાળાનું ઉદ્ધાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીના એક દિવસીય પ્રવાસે જવાના છે. તેઓ જલાલપોરની કરાડી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે સવારે 9 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્ર સી. આર. પાટીલ, ગૃહ રાજ...

જાન્યુઆરી 31, 2025 8:06 એ એમ (AM)

views 27

પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે.

આગામી પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાતને ધ્યાને લઇને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન-અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના બોરસદ મુકામે વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમોને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવ્યું હતુ....

જાન્યુઆરી 26, 2025 8:23 એ એમ (AM)

views 29

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવા રાજ્યમાં આવતીકાલે સોમવારથી AC વૉલ્વો બસ સેવા શરૂ કરાશે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવા રાજ્યમાં આવતીકાલે સોમવારથી AC વૉલ્વો બસ સેવા શરૂ કરાશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે અમદાવાદના રાણિપ એસ.ટી. ડેપો, અમદાવાદથી AC વૉલ્વો બસ પ્રયાગરાજ જશે. 8 હજાર 100 રૂપિયામાં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ, 4 દિવસનું પેકેજ શ્રદ્ધાળુઓ માટે ST નિગમ અને પ્રવાસન વિભાગનાં સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયું છે. આ પેકેજમાં ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરા...

જાન્યુઆરી 26, 2025 8:08 એ એમ (AM)

views 31

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “દેશને આઝાદી અપાવવામાં આદિવાસી સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું છે.” તાપી જિલ્લામાં ગઈકાલે 240 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉંમેર્યું, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સેના દ્વારા આદિજાતિઓમાં અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની ચેતના, સાહસ અને શૌર્ય જગાવ્યા હતા. દરમિયાન શ્રી પટેલે સ્વરાજની લડાઈમાં તાપીના વ્યારાના યોગદાનને પણ યાદ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધન...

જાન્યુઆરી 26, 2025 8:04 એ એમ (AM)

views 34

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠાના ઈડરમાં ખાતે ધ્વજવંદન કરશે. મંત્રીમંડળના મંત્રીઓ જેવા કે, કનુ દેસાઈ વલસાડના વાપી, ઋષિકેશ પટેલ બનાસકાંઠાના અંબાજી, રાઘવજી પટેલ રાજકોટના કોટડાસાંગાણી, બળવંતસિંહ રાજપૂત મહેસાણાના પાંચોટ, કુંવરજી બાવળિયા બોટાદના બરવાડા, મુળૂભાઈ બેરા જામનગર, ડૉક્ટર કુબેર ડિંડો...

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 31

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, આઉટગ્રૉથ વિસ્તાર વિકાસ, શહેરી સડક યોજના, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે 493 કરોડ 48 લાખ રૂપિયા ફાળવાયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરની આગવી ઓળખના વિકા...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 35

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRF, અગ્નિશમન દળના સહયોગથી મોકડ્રીલનું પણ આયોજન કરાશે. દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ, 108 ઇમરજન્સી એમ્બુલૅન્સના સહયોગથી આરોગ્ય વિષયક તાલીમ અને નિદર્શન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ...

જાન્યુઆરી 18, 2025 8:10 એ એમ (AM)

views 43

નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું.

નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે આયુષ્માન આરોગ્ય મંદિરથી લઈને મેડિકલ કૉલેજ અને અત્યાધુનિક હૉસ્પિટલ્સ મળીને અગિયાર હજારથી વધુ સ્વાસ્થ્ય સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીગનરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થના હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતે કોરોના કાળમાં 100થી વધુ દેશોને વેક્સિન અને મેડિસીન પહોંચાડીને વિશ્વમિત્રની ભાવના વધુ પ્રબળ બનાવી છે.

જાન્યુઆરી 17, 2025 7:32 પી એમ(PM)

views 31

છેલ્લા એક દાયકામાં ફિનટેક ક્રાંતિને કારણે દેશમાં નાણાકીય પ્રવૃતિ ડિઝિટલાઇઝ થઈ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં સૌએ ફિનટેક ક્રાંતિનો અનુભવ કર્યો છે. જેના પરિણામે દેશમાં નાણાકીય પ્રવૃતિઓ ડિજિટલાઈઝડ થઈ ગઈ છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન ગિફ્ટ સિટીના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ કહ્યું કે, નાણાકીય તકનિકી ક્ષેત્રમાં તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે ઇનોવેશન હબની ગુજરાતમાં જરૂરિયાત હતી. આ ઉદ...