જાન્યુઆરી 28, 2025 3:05 પી એમ(PM)

views 45

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.”

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.” ગાંધીનગરમાં આવેલી NFSU- રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા બ્રિક્સ યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રિ-કન્સલ્ટેશન કાર્યક્રમમાં રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. દરમિયાન તેમણે રાજ્ય સરકારની નીતિઓનો વધુને વધુ લોકો લાભ લે તેવી પણ અપીલ કરી હતી. (બાઈટઃબળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગમંત્રી) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સહયોગથી યુવા ...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 44

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...