ઓક્ટોબર 11, 2024 9:23 એ એમ (AM)

views 31

ભારતની પૂર્વના દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે.

ભારતની પૂર્વના દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિયંનચન ખાતે ચાલી રહેલી ભારત આસિયાન શિખર પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતનો આસિયાન દેશો સાથેનો વેપાર વધીને 130 અબજ ડોલરને આંબી ગયો છે. શ્રી મોદીએ કહ્યું કે, ભારત સાત આસિયાન રાષ્ટ્રો સાથે સીધી વિમાન સેવાની સુવિધા ધરાવે છે. અને ટૂંક સમયમાં બ્રુનેઇ માટેની વિમાન સેવા શરૂ કરાશે.

ઓક્ટોબર 10, 2024 8:01 પી એમ(PM)

views 23

ભારતની પૂર્વની દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે

ભારતની પૂર્વની દેશો તરફી નીતીએ આસિયાન દેશો સાથેના સંબંધોને નવી ઉર્જા, ગતિ અને દિશા પ્રદાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયંનચન ખાતે ચાલી રહેલી ભારત આસિયાન શિખર પરિષદમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણ કહ્યું કે, આસિયાન દેશો શાંતિપ્રિય છે. અને એકબીજાની રાષ્ટ્રીય એકતા અને સાર્વભૌમત્વનો આદર કરે છે. વિશ્વના ઘણા ક્ષેત્રોમાં સંઘર્ષ અને તનાવ જોવા મળી રહ્યો છે ત્યારે આસિયાન દેશોમાં મૈત્રીપૂર્ણ સહકાર અને સંવાદ આગવું મહત્વ ધારણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતન...

ઓક્ટોબર 10, 2024 2:11 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. વીયંગચાનમાં ભારતીય મુળનાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. વીયંગચાનમાં ભારતીય મુળનાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શ્રી મોદી 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રીના સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. લાઓસની મુલાકાત દરમિયાન શ્રી મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની ...

ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 37

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે. જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ...

ઓક્ટોબર 9, 2024 9:28 એ એમ (AM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચૂઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.આ યોજનામાં ડૉ.બાબા સાહેબ આંમ્બેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉન્નયન અને શિરડી વિમાન મથકના નવા એકીકૃત ટર્મિનલ ભવનનું નિર્માણ પણ સામેલ છે.પ્રધાનમંત્રી મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગઢચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને થાણે જિલ્લાના અંબરનાથમાં સરકારી મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરશે.મોદી ઉદ્યોગ ક્ષેત્ર માટે તૈયાર કાર્યબળ તૈયાર કરવાના હેતુથી ભારતીય કૌશલ સંસ્થાન – II...

ઓક્ટોબર 8, 2024 2:24 પી એમ(PM)

views 59

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હવાઇ દળ દિવસ પ્રસંગે ભારતીય હવાઈ દળને શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હવાઇ દળ દિવસ પ્રસંગે ભારતીય હવાઈ દળને શુભેચ્છા પાઠવી છે.એક સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે,રાષ્ટ્રનું રક્ષણ કરવામાં માટે હવાઇ દળની કામગીરી અત્યંત પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ 21મી સદીમાં ભારતીય હવાઇ દળની કઈ રીતે અત્યંત શક્તિશાળી દળ બન્યું અને તેની સફળતાને રજૂ કરતો વિડિયો પણ રજૂ કર્યો છે.

ઓક્ટોબર 5, 2024 10:02 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 56 હજાર 100 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વાશિમમાં 23 હજાર 300 કરોડ રૂપિયાના મૂલ્યની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલોનો પ્રારભ કરાવશે. તેઓ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જમા કરાવશે. આનાથી દેશભરના 9.4 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનો સીધો નાણાકીય લાભ મળશે. આ પ્રસંગે, તેઓ મહારાસ્ટ્ર સરકારની નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના પાંચમ...

ઓક્ટોબર 4, 2024 7:56 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 18મો હપ્તો જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વાશિમ ખાતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 18મો હપ્તો જમા કરાવશે. દેશનાં 9 કરોડ 40 લાખથી વધુ ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થશે. આ પ્રસંગે, શ્રી મોદી નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના 5મા હપ્તા હેઠળ મહારાષ્ટ્રના ખેડૂતોને આશરે બે હજાર કરોડ રૂપિયાનાં વધારાનો લાભ પણ જારી કરશે. શ્રી મોદી એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ હેઠળ એક હજાર 920 કરોડોનાં વિવિધ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કર...

ઓક્ટોબર 4, 2024 9:01 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે કૌટિલ્ય આર્થિક સંમેલનને સંબોધિત કરશે. સંમેલનની આ ત્રીજી આવૃત્તિ આ રવિવાર સુધી ચાલશે. આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ, ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમજ સ્થિતિસ્થાપકતા યથાવત્ રાખવા નીતિ કાર્યવાહીના સિદ્ધાંતો જેવા વિષય પર કેન્દ્રિત રહેશે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને નીતિ નિર્માતા ભારતીય અર્થવ્યવસ્થા અને વૈશ્વિક દક્ષિણની અર્થવ્યવસ્થાઓ સામે આવતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. આ સંમેલનમાં વિશ્વભરના વક્તાઓ ઉ...

ઓક્ટોબર 4, 2024 8:56 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી છે. શાસ્ત્રીય ભાષાઓ ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાના રક્ષક તરીકે સેવા આપે છે, અને દરેક સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાચા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મંત્રીમંડળના નિર્ણયને વધાવ્યો હતો જ્યારે મંત્રીમંડળે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા મંજૂરી આપી તે બદલ મ...