જાન્યુઆરી 9, 2025 7:04 પી એમ(PM)

views 15

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “સરકારનું લક્ષ્ય દેશને ઊર્જા આયાતકારમાંથી ઊર્જા નિકાસકાર બનાવવાનો છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “સરકારનું લક્ષ્ય દેશને ઊર્જા આયાતકારમાંથી ઊર્જા નિકાસકાર બનાવવાનો છે.” મધ્યપ્રદેશના પીથમપુરમાં ઑટોમોટિવ ટેસ્ટ ટ્રૅકમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું, “ભારત સતત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપી રહ્યું છે.” શ્રી ગડકરીએ હાઈડ્રૉજનને ભવિષ્યનું ઈંધણ ગણાવતા કહ્યું, “સરકાર અને કેટલીક ઑટોમૉબાઈલ કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે.” તેમણે દેશના આર્થિક વિકાસમાં ઑટોમૉબાઈલ ઉદ્યોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ આ ક્ષેત્રમ...

ડિસેમ્બર 19, 2024 7:15 પી એમ(PM)

views 19

માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગ્રીન હાઈવે પોલિસી 2015 મુજબ તમામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે

માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગ્રીન હાઈવે પોલિસી 2015 મુજબ તમામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 62 હજાર કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં રોપાઓ વાવવામાં આવ્યા છે. શ્રી ગડકરીએ આજે લોકસભામાં જણાવ્યું હતું કે ગ્રીન હાઈવે નીતિ વૃક્ષારોપણ, નર્સરી વિકાસ, જાળવણી અને સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું કે આ તકો મુખ્યત્વે ગ્રામ...

ડિસેમ્બર 3, 2024 8:04 પી એમ(PM)

views 24

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. જૈવિક  ઇંધણના વિકલ્પ તરીકે ઇથેનોલ અને મિથેનોલ જેવા બાયોફ્યુઅલના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઉર્જા પરિવર્તન અને ટકાઉ માર્ગ પરિવહન પરના  18માં સમેલનને સંબોધતા ગડકરીએ પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે જૈવિક ઇંધણની આયાત ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું ...

સપ્ટેમ્બર 19, 2024 8:31 પી એમ(PM)

views 15

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું કે સરકાર મીરાઈ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. મિરાઈ એક એવી કાર છે જે કચરામાંથી ઉત્પાદિત હાઈડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સસ્તા દરે હાઇડ્રોજનનું ઉત્પાદન શક્ય બની શકે છે. મંત્રાલયે ભારત...