ઓગસ્ટ 2, 2024 8:00 પી એમ(PM)

views 27

નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે:કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, નીટ યુજી પરીક્ષા અંગે સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનથી કેન્દ્ર સરકારના વલણને સમર્થન મળ્યું છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, નીટ યુજી પરીક્ષા પધ્ધતિના નિર્ધારીત નિયમોનો ભંગ થયો હોય તેવું જણાવ્યું નથી આથી પુનઃ પરિક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શિક્ષણમંત્રીએ સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પારદર્શક, હસ્તક્ષેપ વિનાની અને કોઇપણ ખામી વિનાની પરીક્ષા પધ્ધતિ માટે કટિબદ્ધ છે. આ હેતુથી નિષ્ણાતો દ્વારા કરાયેલી ભલામણોનો અમલ કર...