ઓક્ટોબર 26, 2024 8:34 એ એમ (AM)

views 20

ચક્રવાત ‘દાના’થી અસરગ્રસ્ત ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ.

ચક્રવાત 'દાના'થી અસરગ્રસ્ત ઓડિશાના કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર અને જગતસિંહપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સામાન્ય સ્થિતિ લાવવા રાહત અને પુનઃસ્થાપન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. NDRF, ODRAF, અગ્નિશમન સેવાઓ, ઉર્જા અને અન્ય વિભાગોના કર્મચારીઓ માર્ગ જોડાણ અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા 24 કલાક કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ભુવનેશ્વરમાં ચક્રવાત પછીની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને 'દાના'થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેમના અહેવાલો સુપરત કરવા જણાવ...

ઓક્ટોબર 24, 2024 8:24 પી એમ(PM)

views 37

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત ‘દાના’ ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ હાઇ અલર્ટ પર

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત 'દાના' ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ સતત જાગૃત છે. નેવીએ કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત દાના બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે ઓડિશાથી લગભગ 240 કિલોમીટર દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળથી લગભગ 310 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું, “રાજ્ય સરકાર ચક્રવાત 'દાના'ને ખૂબ ...