ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 67

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે.    ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ પાયાના અભ્યાસક્રમ તાલીમ પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ – C.A.P.F. અને કેન...

ઓક્ટોબર 4, 2024 1:46 પી એમ(PM)

views 63

આગામી 10 વર્ષમાં વધુ 75 હજાર મેડિકલ બેઠકો વધારવાનો સરકારનો લક્ષ્યાંક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘આગામી 10 વર્ષમાં બીજી 75 હજાર મેડિકલ સીટ વધારવાનો સરકારનો લક્ષ્યાંક છે. ગાંધીનગરના અડાલજ ખાતે હીરામણિ આરોગ્યધામ – ડે કેર હૉસ્પિટલનું લૉકાર્પણ કરતાં શ્રી શાહે કહ્યું કે, ‘આર્થિક રીતે નબળા, મધ્યમ વર્ગ અને ગ્રામીણ ક્ષેત્રના લોકોને ધ્યાનમાં રાખીને હીરામણિ આરોગ્યધામ બનાવવામાં આવ્યું છે. સરકારે ફક્ત મેડિકલ કૉલેજની બેઠક જ નથી વધારી, પરંતુ દેશમાં અનેક મેડિકલ હૉસ્પિટલ બનાવવાનું પણ કામ કર્યું છે.’

ઓક્ટોબર 4, 2024 8:19 એ એમ (AM)

views 32

અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરવાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે “વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ”નો પ્રારંભ કરાવ્યો. આજે યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે. અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024નો શુભારંભ કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં સાયબર ક્રાઇમ અંગેના ગુજરાત ...

ઓક્ટોબર 4, 2024 8:08 એ એમ (AM)

views 40

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીયગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજના દિવસના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં અમદાવાદ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત "હીરામણિ આરોગ્યધામ"નું લોકાર્પણ કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનાં હસ્તે આજે સવારે થશે. આરોગ્યધામના લોકાર્પણનાં આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદનિધિમાંથી 150 દિવ્યાંગ બાળકોને હિયરીગ એઇડ ડીવાઈસ કીટનું પ...

સપ્ટેમ્બર 17, 2024 3:00 પી એમ(PM)

views 34

મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દેશની સુરક્ષા પ્રણાલીને મજબૂત કરીને સલામત ભારત બનાવ્યું છે. શ્રી શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતાં આજે સંવાદદાતા સંમેલન સંબોધિત કરતા કહ્યું કે, પહેલા 100 દિવસમાં જ 15 લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમ જ ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રૉજેક્ટ્સની સરકારે જાહેરાત કરી છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. ગૃહમંત્રીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણન નીતિ શરૂ થતાં દેશની જૂની શિ...