ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 8:31 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. સંરક્ષણ મંત્રીએ આજે લખનૌમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદના સમાપન સમારોહમાં કહ્યું કે ભારત એક શાંતિ પ્રેમી દેશ છે અને શાંતિ જાળવી રાખવા માટે સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. તેમણે ઉત્તરીય સરહદ પરની પરિસ્થિતિ અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો ઉભી કરતા પડોશી દેશોના વિકાસના વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ દ્વારા વધુ વ્યાપક અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
શ્રી રાજનાથ સિંહે સંયુક્ત સૈન્ય અભિગમ વિકસાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભવિષ્યના યુદ્ધોમાં દેશને જે પડકારોનો સામનો કરવો પડશે તેની તૈયારી કરવા પર ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ