ભારતીય જનતા પાર્ટીએ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ ચીનના સમર્થનમાં આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપ મુખ્યાલયમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સેમ પિત્રોડાના નિવેદનને ગલવાન ખીણમાં પોતાના જીવનું બલિદાન આપનારા સૈનિકોનું અપમાન ગણાવ્યું હતું..
જોકે કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ નિવેદન સામ પિત્રોડાનું વ્યક્તિગત હોવાનું જણાવીને આ વિવાદથી કોંગ્રેસને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 7:45 પી એમ(PM) | ભારતીય જનતા પાર્ટી
ચીન અંગેના કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને ભાજપે ગલવાનમાં જાન ગુમાવનાર ભારતીય સૈનિકોનું અપમાન ગણાવ્યું
