કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ફિટ ઇન્ડિયા ચળવળને સફળ બનાવવા માટે, આપણે નિયમિત કસરત અને સાયકલિંગનો સમાવેશ આપણા દિનચર્યામાં કરવો જોઈએ. આ કાર્યક્રમમાં ડો. મનસુખ માંડવિયાએ 1 હજાર બાળકો સાથે સાઈકલ ચલાવી કહ્યું કે, સાયકલિંગ માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી પરંતુ પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. ડૉ. માંડવિયાએ આજે સવારે લખનૌમાં ત્રણ કિલોમીટર સાયકલ ચલાવીને રાષ્ટ્રવ્યાપી ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.
Site Admin | માર્ચ 23, 2025 1:04 પી એમ(PM)
ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ લખનૌમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક હજાર બાળકો સાથે સાયકલિંગ કર્યુ
