પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠ્ઠેરી ઉંચા રાજનેતા હતા.
શ્રી વાજપેયીને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતાં શ્રી મોદીએ કહ્યું કે 21મી સદીમાં ભારતના વિકાસના શિલ્પકાર તરીકે રાષ્ટ્ર હંમેશા અટલજીનો આભારી રહેશે. જુદા જુદા અખબારોમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિનમ્ર શ્રી વાજપેયીએ સામાન્ય નાગરિકના સંઘર્ષ અને અસરકારક શાસનની પરિવર્તનશીલ શક્તિનો અહેસાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 11મી મે, 1998ના રોજ ભારતે ઓપરેશન શક્તિ હેઠળ પોખરણ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોના સાહસનો વિશ્વને પરિચય કરાવ્યો હતો..
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:46 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનાર મુઠ્ઠેરી ઉંચા રાજનેતા હતા.
