કેન્દ્રીય જળશક્તિમંત્રી સી. આર. પાટીલ આવતીકાલે નવસારીમાં ત્રણ દિવસના રાજ્યકક્ષાના કૃષિમેળાનો પ્રારંભ કરાવશે. આ મેળામાં 25 હજારથી વધુ ખેડૂતોભાગ લેશે. ઉપરાંત 120 જેટલી પ્રદર્શન હાટડી તૈયાર કરાશે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે 23 ડિસેમ્બરસુધી યોજાનારા આ મેળામાં પશુપાલકો, વિતરકો, સહકારી અને સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજમહાવિદ્યાલય-શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાતે આવશે.
ઉલ્લેખનીય છે કે, નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. ઝીણાપટેલને 25 લાખ લીટર વરસાદી પાણીના સંગ્રહ બદલ ‘જળ પ્રહરી’ સન્માન એનાયત કરાયું.નવી દિલ્હી ખાતે યોજાયેલા એક સમારોહમાં કેન્દ્રીયરાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને આ સન્માનપત્રએનાયત કરાયું હતું.