ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 2:01 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે.
દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
ઉત્તર પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રએ 12 મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમાંથી ત્રણ કરાર ત્રિપુરા સાથે સંબંધિત છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે લગભગ 10 હજાર લોકોએ શસ્ત્રો છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ