કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. બ્રાઝિલના કુઆબામાં આજે યોજાયેલી G-20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કૃષિ વિકાસને પ્રાથમિકતા આપે છે.તેમણે કહ્યું કે ભારતનું વિઝન માત્ર ઉત્પાદકતા પર જ નહીં પરંતુ આર્થિક,સામાજિક, પર્યાવરણીય ટકાઉપણું,ખેડૂતોની સમૃદ્ધિ વધારવાઅને વિકાસ માટે વ્યાપક અભિગમ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શ્રી ઠાકુરે ટકાઉ અનેસમૃદ્ધ ભવિષ્ય માટે ઉદાર કૃષિ પ્રણાલી વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતા પર પણભાર મૂક્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 3:18 પી એમ(PM)
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે
