કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલ થી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રહેશે.
કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ માટે બાકી રહેલા કર સંબંધિત કામોનો નિકાલ કરવામાં સુવિધા આપવા માટે આવકવેરા વિભાગની કચેરીઓ દેશભરમાં ખુલ્લી રહેશે. દેશભરમાં આવકવેરા વિભાગની ઓફિસો સપ્તાહના અંતે અને સોમવારે ઈદ-ઉલ-ફિત્ર હોવા છતાં ખુલ્લી રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા બેંકોને 31 માર્ચે કામકાજ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ આકારણી વર્ષ 2023-24 માટે સુધારેલું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ છે.
Site Admin | માર્ચ 28, 2025 2:28 પી એમ(PM)
કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલ થી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે
