ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 2:05 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળની ઇમારાત ધરાશાયી થતા 10 લોકોના મૃત્યુ

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના ઝાકિર કૉલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે ત્રણમાળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઇમારતના કાટમાળને આજે સવારે હટાવી દેતાં રાહતઅને બચાવ પૂર્ણ થયું છે. બચાવકાર્ય કરનારા કર્મચારીઓએ પાંચ લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા છે.
મેરઠના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ કહ્યું, આ ઘટના વખતે ઇમારતમાં 15 લોકો હાજર હતા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRF અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીએ આખી રાત કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ