ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુંકે, ‘આવનારા ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે.’ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીય ગૃહરક્ષક અને નાગરિક સલામતી સંમેલનને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ‘વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સેવાને નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષકના માધ્યમથી ચરિતાર્થ કરીશું.’
અન્ય એક કાર્યક્રમમાં શ્રી શાહે ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલય પરિસર ખાતે યોજાયેલા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. તેમજ ગાંધીનગર મહાનગરના કાર્યાલય શ્રી કમલમ્નો શિલાન્યાસ કર્યો હતો. અગાઉ વિધાનસભામાં યોજાયેલા લેજીસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમના સમાપન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક દખલગીરીના અવકાશને ઘટાડવા માટે કાયદાના મુસદ્દામાં કાયદાકીય સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજે સવારે આણંદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘દેશના ગ્રામીણ પરિવારો પૈકી માત્ર એક કરોડ 50 લાખ પરિવાર જ સહકારી ક્ષેત્રે જોડાયા છે. બાકીના6 કરોડ 50 લાખ પરિવારોને સહકારી ક્ષેત્ર સાથે જોડવા સમગ્ર દેશમાં નવી 2 લાખ સહકારી મંડળીઓ બનાવવામાં આવી રહી છે.’
NDDBની હીરક જયંતી અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની 121મી જન્મજયંતિ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, શ્વેતક્રાંતિ2.0 હેઠળ દેશમાં વધુ એક લાખ નવી ડેરીની રચના કરાશે. આ પ્રસંગે શ્રી શાહે ખેડૂતલક્ષીજન યોજનાઓના લાભોના ચેકનું પણ વિતરણ કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:48 પી એમ(PM)
આગામી સમયમાં નાગરિક સંરક્ષણ અને ગૃહરક્ષક કાયદામાં નવા પરિવર્તન કરાશે :ગૃહમંત્રી અમિત શાહ
