કેન્દ્રીય અનુદાન પંચ – UGC એ વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અથવાદેશનાં વિવિધ એકમોમાં કર્મચારી તરીકે જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સમાનતા ધોરણેનિર્ધારિત માળખું રચવાનો નિર્ણય લીધો છે. UGC દ્વારા આજે બહાર પડાયેલાં એકજાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ હેતુથી વિદેશ શિક્ષણ સંસ્થાઓમાંથી શિક્ષણલેનાર વિદ્યાર્થીઓ માટેની પાત્રતા ઓળખવા UGC એ પારદર્શક, અનેટેક્નોલોજી આધારીત વ્યવસ્થા તૈયાર કરી છે. UGCનાં અધ્યક્ષએમ. જગદીશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, નવી શિક્ષણનીતી અંતર્ગત ભારતને શિક્ષણક્ષેત્રે વિશ્વમાં કેન્દ્ર બનાવવા માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.
Site Admin | એપ્રિલ 5, 2025 6:22 પી એમ(PM)
UGCએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કર્મચારી તરીકે જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સમાનતા ધોરણે નિર્ધારિત માળખું રચવાનો નિર્ણય લીધો
