ઓગસ્ટ 27, 2024 7:14 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:14 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતની રાહત અને બચાવ કામગીરીના પગલાની સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભારતીય સેનાની છ કોલમ ટુકડી ફાળવી છે. વરસાદથી વધારે અસરગ્રસ્ત દેવભૂમિદ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં સેનાની આ છ કોલમ તહેનાત કરવામાં આવી છે, જે રાહત- બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન કાર્યમાં મદદરૂપ થશે. ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન અન...

ઓગસ્ટ 9, 2024 7:39 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 7:39 પી એમ(PM)

views 12

આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે

દેશભરમાં 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આવતીકાલે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા રાજકોટથી તિરંગા યાત્રાનો આરંભ કરાવશે. બહુમાળી ભવનથી જ્યુબેલી ચોક સુધી યોજાનાર આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ રાષ્ટ્રભાવના સાથે જોડાશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘હર ઘર તિરંગા યાત્રા યોજાનાર છે. તેમાંથી આ સૌપ્રથમ યાત્રા છે. આ તિરંગા યાત્રામાં કણબી રાસ, મણીયારો રાસ, બેડા નૃત્ય, ડોકા...

ઓગસ્ટ 5, 2024 3:26 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 3:26 પી એમ(PM)

views 3

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે

'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ 3.15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સેક્ટર-3A ન્યૂની આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. શ્રી પટેલે આ અભિયાન હેઠળ ગુજરાતમાં વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

જુલાઇ 31, 2024 3:27 પી એમ(PM) જુલાઇ 31, 2024 3:27 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આજે “સખી સંવાદ” યોજ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આજે “સખી સંવાદ” યોજ્યો હતો.ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ ૩૫૦ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારીશક્તિ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યની...

જુલાઇ 30, 2024 3:31 પી એમ(PM) જુલાઇ 30, 2024 3:31 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આવતીકાલે “સખી સંવાદ” કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે આવતીકાલે “સખી સંવાદ” કરશે.ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત આ કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યભરના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ ૩૫૦ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારીશક્તિ સાથે પ્રત્યક્ષ વાતચીત પણ કરશે.. સખી સંવાદમાં સહભાગી થ...

જુલાઇ 30, 2024 3:25 પી એમ(PM) જુલાઇ 30, 2024 3:25 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને ૩૯૭ કરોડ રૂપિયાના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને ૩૯૭ કરોડ રૂપિયાના ૯૧ વિકાસ કાર્યોની ભેટ આપી હતી.મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજી પટેલે જૂનાગઢનાં વિકાસને કારણે અનેક લોકો ને રોજગારી મળશે અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જુલાઇ 27, 2024 8:15 એ એમ (AM) જુલાઇ 27, 2024 8:15 એ એમ (AM)

views 18

ગુજરાત સરકાર અગ્નિવીરોને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે : મુખ્યમંત્રી

ગુજરાત સરકાર ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ અને રાજ્ય અનામત પોલિસ દળ-એસઆરપીનીભરતીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભારતીય સેનાના અગ્નિવીરોને રાજ્યમાં હથિયારધારી પોલીસ દળ અને રાજ્ય અનામત પોલીસ દળ-(એસઆરપીએફ)ની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીરોના મામલે વિપક્ષ દ્વારા જનતામાં ...

જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM) જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM)

views 10

ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજે રાત્રે 11 વાગ્યાથી આરંભ થશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 સહિત તમામ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગ્યે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડીઓ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારિવાન ઉપરાંત તમામ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.

જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM) જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અંદાજે 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જૂન 18, 2024 4:43 પી એમ(PM) જૂન 18, 2024 4:43 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રીચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય કેયુર રોકડીયા સહિત સમાજના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ પરિવાર દ્વારા યોજાયેલા રિચાર્જ બોરવેલના આ કાર્યક્ર...