નવેમ્બર 8, 2024 6:36 પી એમ(PM)

views 199

સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી

જાણીતા સંત જલારામ બાપાની આજે 225 મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં જલારામ બાપાની પૂજા અર્ચના, ભજન-કીર્તન, મહાઆરતી, અન્નકૂટ,શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના પાલડી જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં પૂજનવિધિ, મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. બાવળામાં પણ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે 225 મી જલારામ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિરમાં સવારથી જ ભજન-કીર્તન, પુજા, અન્નકૂટ...

નવેમ્બર 8, 2024 3:19 પી એમ(PM)

views 21

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

રાજ્યમાં સંત જલારામ બાપાની આજે 225 મી જન્મજયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે રાજકોટના વિરપુર ગામમાં લાખો લોકો બાપાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આશરે 210 વર્ષ પહેલા વીરપુરમાં જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું હતું જે આજે પણ અખંડ ચાલી રહ્યું છે. દિવાળી જેવો માહોલ આજે વીરપુરમાં જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં જલારામ બાપાની પાદુકા પૂજન, આરતી, મહાપ્રસાદ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. તો પાટણમાં આ દિવસ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્...