આઈપીએલ ટી-20 ક્રિકેટમાં આજે, ગુવાહાટીના બરસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું.
પંજાબ કિંગ્સ દ્વારા નિર્ધારિત 244 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 232 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સાઈ સુદર્શને 74 રન જ્યારે જોસ બટલરે 54 રન બનાવ્યા હતા. અગાઉ પંજાબ કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે અણનમ 97 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રિયાંશ આર્યએ 47 અને શશાંક સિંહે અણનમ 44 રન બનાવ્યા હતા.
Site Admin | માર્ચ 26, 2025 3:11 પી એમ(PM)
IPLમાં, આજે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો
