ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 17, 2025 1:44 પી એમ(PM)

printer

2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણ સમાપ્ત કરવામાં CRPFની મહત્વની ભૂમિકા હશે :ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, માર્ચ 2026 સુધી દેશમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે અને તેમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- C.R.P.F.ના જવાન સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. શ્રી શાહ આજે મધ્યપ્રદેશના નીમચ ખાતે C.R.P.F.ના 86-મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું, કોબરા બટાલિયનના જવાન દેશને નક્સલમુક્ત બનાવવામાં નોંધપાત્ર કામ કરી રહ્યા છે અને તેમના અદભૂત સાહસના આધારે જ નક્સલવાદથી સંપૂર્ણ રીતે મુક્તિનો દેશનો સંકલ્પ પૂર્ણ થશે.
દેશના અમર શહીદોના બલિદાનને નમન કરતા શ્રી શાહે કહ્યું, દેશના ઇતિહાસમાં સુરક્ષા દળોના અમર શહીદોની શૌર્યગાથા સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ