16 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પ્રચાર પડઘમ આજે શાંત થયા છે. હવે ઉમેદવારોડોર ટુ ડોર પ્રચાર કરશે. આ ચૂંટણીમાં કુલ 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણી લડશે. જામનગરમાં ત્રણ નગરપાલિકા ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરની સામાન્ય ચૂંટણી તેમજ જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ જામવંથલી અને જોડીયા તાલુકામાં સમાવિષ્ટ જોડીયા તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓનુંપણ મતદાન થશે. ત્યારે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે પૂર્વ તૈયારીઓની વિગતો આપી.
રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવ્યા પ્રમાણે,.સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7 હજાર 36 ઉમેદવારી પત્રો રજૂ થયાહતા તે પૈકી 1 હજાર 261 અમાન્ય તેમજ 5 હજાર 775 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા છે અને 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યાછે. 16 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તો 18 ફેબ્રુઆરીનારોજ મતગણતરી હાથ ધરાશે.