સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઇકાલે સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઇવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે. આ તમામ ઇવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યાં છે. આવતીકાલે મતદાન થયેલી તમામ બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.. ત્યારે હવે આવતીકાલે ઇવીએમ ખુલતાં જ ઉમેદવારોનું રાજકિય ભાવી નિશ્ચિત થશે
66 નગર પાલિકા અને જૂનાગઢની મહાનગરપાલિકા સહિત તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ગઇકાલે યોજાઇ હતી જેમાં
રાજ્યમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32 ટકા, જ્યારે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 61.65 ટકા મતદાન થયું હતું.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 3:59 પી એમ(PM) | ઇવીએમ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઇવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચી ગયા
