ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીયપદવીદાન સમારોહ આજે સાંજના ૦૬-૦૦ વાગે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. શૈક્ષણિક વર્ષ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયક કરવામાં આવશે. જેમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતકતથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરાશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકેએલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પ્રયાસવીનભાઈ પટેલ, ચારુતરવિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટએન્જિનિયર ભિખુભાઈ પટેલ ઉપસ્થિતિ રહેશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 9:08 એ એમ (AM)
સીવીએમ યુનિવર્સિટીનો આજે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે
