સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિન નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. જે અંતર્ગત 31 ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે સોમનાથમાં એકતા દોડનું આયોજન કરવામાં આવશે.
સાવરે 7 વાગ્યે સોમનાથ મંદિર પરિસરથી શરૂ કરીને ચોપાટી વૉક વે ખાતે આ રાષ્ટ્રીય એકતા દોડ પૂર્ણ થશે. જેના આયોજન માટે કલેક્ટર દિગ્વિજય જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
Site Admin | ઓક્ટોબર 25, 2024 10:34 એ એમ (AM) | સરદાર વલ્લભભાઈ પટેલ